નવસારી આવેલા એઆઈસીસીના નિરીક્ષક દ્વારા આગામી સમયમાં નવા પ્રમુખ ની રચના કરવા માટે વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા અને વિવિધ માહિતી મેળવી હતી. ખાસ કરીને સંગઠન સુજન અભિયાન અંતર્ગત નિરીક્ષકોની જે ટીમ બનાવાય આવી છે આ ટીમના નિરીક્ષક પ્રફુલ પાટીલ નવસારી પહોંચી હતી અને તેમણે ભાજપના ગણાતા એવા નવસારીમાં ગઢ ની વ્યાખ્યા ને તોડી હતી.
તેમણે જણાવ્યું હતું કે લોકશાહીમાં ગઢ પ્રકારની કોઈ વસ્તુ હોતી નથી. અને અમે નથી માનતા કે સી આર પાટીલનો ગઢ નવસારી છે. અમારા કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે અને પરિણામ પણ લાવશે.
ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવાના પ્રયાસ રૂપે AICC ના નિરીક્ષક પ્રફુલ પાટીલ સહિતની ટીમ નવસારી પહોંચી છે. આ ટીમમાં ગુજરાત કોંગ્રેસના ચાર નિરીક્ષકો બાબુ રાયકા, દર્શન નાયક, રોહિત પટેલ અને ગૌતમ પટેલનો સમાવેશ થાય છે.
સંગઠન સૃજન અભિયાન” અંતર્ગત નિરીક્ષકોની ટીમ બે દિવસ સુધી નવસારી જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓને સાંભળશે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લા પ્રમુખની પસંદગી માટે યોગ્ય ઉમેદવાર શોધવાનો છે. નવા સંગઠન પ્રમુખ માટે નિષ્ઠાવાન કોંગ્રેસી હોવા ઉપરાંત છેલ્લા પાંચ વર્ષથી પક્ષ સાથે સક્રિય રીતે જોડાયેલા અને સ્વચ્છ ચારિત્ર્ય ધરાવતા નેતાની શોધ કરવામાં આવશે.
આ પહેલ રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવાના વ્યાપક અભિયાનનો ભાગ છે. AICC એ 100 વર્ષ પહેલાના નાગપુર અધિવેશનમાં રચાયેલા સંગઠન માળખાની સમીક્ષા કરી છે. નવા માળખામાં જિલ્લા પ્રમુખોને વધુ નિર્ણય શક્તિ આપવામાં આવશે.