નવસારી મહાનગરપાલિકા દંતાની સાથે જ વિકાસના કામોની હાર માળા લાગી ગઈ છે નવસારી શહેરમાં ઠેર ઠેર વિકાસ કાર્યો માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વિવિધ પ્રોજેક્ટ મંજૂર કરીને નવસારી મહાનગરપાલિકા વિસ્તારની કાયાપલટ કરવાની કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તા ગટર પાણી અને તમામ વિસ્તારોની સકલ બદલાઈ જાય એ પ્રકારનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
વિવિધ એજન્સીઓ આવીને નવસારી શહેરમાં કામકાજ કરી રહી છે પરંતુ નવસારી શહેરના જમાલપુર થી લઈને ઇટાડવા સુધીના રસ્તા પર ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહી છે જેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ગાડીઓ ખૂપી જવાની અને ફસાઈ જવાની સમસ્યા ઊભી થઈ છે જેને લઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે.
નવસારી શહેરના જમાલપુર થી ઈટાળવા સુધી મોટી ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહી છે ચોમાસા પહેલા ડ્રેનેજ લાઈન નાખવાની શરૂઆત કરવામાં આવી હતી મોટા નાળા નાખીને ઇટાલવાથી જમાલપુર વિસ્તારમાં આવતું વરસાદી પાણી પીધું બોક્સ ટ્રેન ગટરમાં નાખવા માટે નું આયોજન કરવામાં આવી રહ્યું છે પરંતુ ઇજારદાર દ્વારા ગટર લાઈન નાખ્યા પછી થર્ડ પર માટી અને એના ઉપર યોગ્ય મજબૂતાઈ ન કરવાના કારણે ગાડીઓ ખોપવાના બનાવો બની રહ્યા છે. સેવન ઇલેવન પેટ્રોલ પંપ નજીક રીયલ વેલ્યુ ની સામે રાજસ્થાનથી આવેલી એરટીગા કાર પરિવાર સાથે જઈ રહી હતી તે દરમિયાન પોતાની સોસાયટીમાંથી બહાર નીકળતા ની સાથે જ એરટીકા કાર ફસાઈ ગઈ હતી અને પરિવાર પોતાના સમય પર જઈ શક્યું નહોતું. સમગ્ર ગાડીના ટાયરો કિચડમાં ખૂપી ગયા હતા.
બહારગામ થી આવેલા લોકોએ આજુબાજુમાં કોઈ ઓળખાણ ન હોવાના કારણે સમસ્યામાં મુકાઈ જવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી. ડ્રેનેજ લાઈનનું કામ કરતા ઈજારદાર દ્વારા બેદરકારીના કારણે આવા બનાવો બની રહ્યા છે કોઈ અનેક ઘટના ઘટી નથી માત્ર ગાડી ખૂપી ગઈ છે ચોમાસું નજીક આવી રહ્યો છે તેવા સમયે આ વિસ્તારમાં પાણી ભરાવાની મોટી સમસ્યા ઊભી થાય છે. પાણી ભરાવાના સમયે જો ગટરમાં કોઈ ખૂટી જાય તો મોટી જાનહાની થઈ શકે તેવી શક્યતાઓ છે તેવા સમય મહાનગરપાલિકા તંત્ર દ્વારા ઈજદાર સામે કડક કાર્યવાહી કરીને ખોદેલી ગટરને મજબૂત પથ્થરો કે મોરમ નાખીને યોગ્ય મજબૂતાઈ આપવામાં આવે તેવી લોક લાગણી જન્મી છે.
જમાલપુર થી ઇટાડવા માર્ગ પર ગટર યોજના ના ચાલી રહેલા કામના કારણે મુખ્ય માર્ગ પર પણ કિચડ નું સામ્રાજ્ય વધી ગયું છે જ્યાં પણ બાઈક ચાલકો સ્લીપ મારી ને ફટકાતા હોવાના કિસ્સાઓ પણ બની ચૂક્યા છે ઇજારદાર દ્વારા કિચન હટાવવા માટે પણ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને મહાનગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવા માટે કોન્ટ્રાક્ટર અને તાકીદ કરવામાં આવે તેવી લોક લાગણી આ વિસ્તારના રહીશો દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. અગાઉ આ વિસ્તારના પૂર્વ સુધરાઈ સભ્ય એવા કરસનભાઈ દેસાઈ દ્વારા ધારદાર રજૂઆતો કરીને એન્જિનિયર ને ગટર યોજના બાબતે યોગ્ય કામગીરી કરવા અને કિચનને દૂર કરવા માટેની રજૂઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ ધ્યાન ન આપવાના કારણે વિવિધ ઘટનાઓ ઘટી રહી છે જો કોઈ જાનહાનિ થશે તો મહાનગર પાલિકાએ જવાબ આપવા પડશે તેવા પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે.