- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
ગણદેવીના ખાપરવાડા ખાતે હનુમાનજીના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તિથી ભરપૂર અને દુર્લભ દ્રશ્યો જોવા મળ્યા. મંદિરની ધજા ચડાવવાથી લઈને દરેક ધાર્મિક વિધિમાં વાનરરાજે હાજરી આપતા ભક્તોમાં અધભુત ઉત્સાહ અને આસ્થા જોવા મળી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને હનુમાનજીના સાક્ષાત દર્શનોનો અનુભવ કર્યો હતો. વિધિ દરમ્યાન વાનરોની આ અનોખી હાજરી ભક્તોમાં કુતુહલ અને આશ્ચર્ય પેદા કરી રહી હતી. કેટલાક ભક્તો આ દુર્લભ દ્રશ્યોને હનુમાનજીના ચમત્કારરૂપે માને રહ્યા હતા. આ ભવ્ય પ્રસંગે ભક્તિ અને શાંતિના માહોલ સાથે આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કર્યો. હનુમાન મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો આ ચમકદાર પ્રસંગ ગણદેવીના ધર્મપ્રેમીઓ માટે યાદગાર બની રહ્યો. આ પ્રસંગે ઉપસ્થિત દરેક ભક્તને…
નવસારી ઇટાડવા સ્થિત શિરવી સમાજની વાડીમાં સમસ્ત આંજણા ચૌધરી પટેલ સમાજ દ્વારા શ્રી શ્રી 1008 શ્રી રાજા રામજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી સમસ્ત કાર્યક્રમ આંજણા સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો . શ્રી રાજારામજી મહારાજ નો મૂળ સ્થાન અને આશ્રમ શિકારપુરા ગામ જોધપુર રાજસ્થાનમાં છે પરંતુ નવસારીમાં વસતા તેમના ભક્તો દ્વારા આજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામનવમીના પવિત્ર દિવસે સવારે 2000 થી 2500 માણસનો મહાપ્રસાદ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો લોકો ઉપસ્થિત રહ્યા હતા આજના દિવસે રાજસ્થાનમાં ખૂબ મોટો મેળો પણ ભરાય છે પરંતુ નવસારીમાં વસતા 1008 શ્રી રાજારામજી ના ભક્તજનો નવસારીમાં ભવ્યથી…
નવસારીના ચીખલી તાલુકાના સરૈયા ગામે ઉનાળાની રજા માણવા આવેલા સુરતના ત્રણ યુવકો માટે દુર્ભાગ્યજનક ઘટના બની. સુરતથી ફરવા આવેલા ત્રણ મિત્રો સરૈયા ગામે આવેલા ચેકડેમમાં નાહવા પડ્યા હતા. નાહતી વખતે રાજ નાયકા નામનો યુવક અચાનક ઊંડા પાણીમાં ગરક થયો અને ડૂબી ગયો. સ્થાનિક તરવૈયાઓએ તરત જ બચાવ પ્રયાસો હાથ ધર્યા, પરંતુ ઊંડા પાણીના કારણે રાજને તાત્કાલિક બહાર કાઢી શકાયો નહીં. ભારે જહેમત બાદ તેનું મૃતદેહ બહાર કાઢવામાં આવ્યું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજામાં લઈને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી…
નવસારી મહાનગરપાલિકા વોર્ડ નંબર 13ના ઈટાળવા થી વિશાલ નગર વ્રજ વિહાર સોસાયટી સુધીના મુખ્ય માર્ગ પર આવેલા ડિવાઈડર પર સ્ટ્રીટ લાઈટો ન હોવાના કારણે સ્થાનિક લોકોને રાત્રે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સંજોગોમાં પૂર્વ કોર્પોરેટર વિજય રાઠોડે નાગરિકોની સલામતી માટે મહાનગરપાલિકાને પત્ર લખી સ્ટ્રીટ લાઈટો લગાવવાની નમ્ર વિનંતી કરી છે. તેઓએ ઉલ્લેખ કર્યો છે કે આ બાબત પહેલા પણ 15-09-2023ના રોજ રજુ કરવામાં આવી હતી, છતાં હજી સુધી કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. રસ્તા પર અંધકાર રહેવાના કારણે ઘણાં અકસ્માતો બની ચૂક્યા છે, જે લોકોના જીવ માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે. જો તાત્કાલિક સ્ટ્રીટ લાઈટો લગાવવામાં…
અરે આ તળાવ કોને આપી દીધા ! નવસારી કલેકટર કચેરી ખાતે જલાલપોરના સરપંચો અને ગ્રામજનોનો વિરોધ, જુઓ Video
કરાખત પરુજણ, માંગરોળ, પરસોલી, ભીનાર, ભાઠા, ટુંડા મગોબ, નિમળાઈ, દાંતી, ઉભરાટ, દીપલા, વાંસી, બોરસી, માછીવાડ, સીમળગામ અને દેલવાડા ગામોમાં તળાવો મત્સ્ય ઉછેર માટે ફાળવાયા હોવાનો મુદ્દો ગરમાયો છે. પંચાયતની પરવાનગી વગર મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા ફાળવાયેલા તળાવો અંગે ગ્રામજનો અને સરપંચોએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. સંબંધિત ગામોમાં પીવાના પાણીની ગંભીર તંગી છે. સરકારે આ ગામોને “No Source Village” જાહેર કર્યા છે, છતાં પંચાયતની મંજૂરી વિના મત્સ્ય ઉછેર ફાળવવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતો દ્વારા પોતાના ખર્ચે બોર બનાવવામાં આવ્યા હતા અને તળાવોમાં મીઠા પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. પરંતુ, મત્સ્ય ઉછેરથી પાણી દૂષિત થવાની ભીતિ છે, જે ગ્રામજનોના આરોગ્ય માટે…
મહાત્મા ગાંધીના પરિવાર સાથે જોડાયેલ એક ઉદ્દાત અને નિષ્ઠાવાન વ્યક્તિત્વ, શ્રીમતી નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું આજે અવસાન થયું છે. તેઓ નવસારીના અલકા સોસાયટીમાં નિવાસ કરતાં હતા અને જીવનભર સમાજસેવા, દયા અને પરોપકારના મૂલ્યોને સમર્પિત રહ્યા હતા. જીવન અને સેવાયજ્ઞ નીલમબેન પરીખ મહાત્મા ગાંધીના પુત્ર હરીદાસ ગાંધીના વંશજ હતા. તેમના માતા-પિતા, રામીબેન અને યોગેન્દ્રભાઈ પરીખ, દ્વારા મળેલા સંસ્કારોને જીવનભર અનુકર્યા. બાળપણથી જ તેઓએ ગાંધીવાદી સિદ્ધાંતોને પોતાના જીવનમાં અપનાવી લીધા હતા. ખાસ કરીને મહિલાઓના કલ્યાણ અને શિક્ષણ માટે તેઓએ મહત્ત્વપૂર્ણ પ્રદાન કર્યું હતું. સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈ, તેમણે સ્ત્રી શિક્ષણ, સ્વાવલંબન અને આરોગ્ય ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું. અંતિમ વિદાય નીલમબેન પરીખની અંતિમ યાત્રા…
નવસારી મહાનગરપાલિકા ઉભી થયા પછી શહેરના વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વિવિધ વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા મોટી ફાળવણી કરવામાં આવી છે. જોકે, કેટલાક વિસ્તારોમાં દુકાનદારો અને વેપારીઓએ જાહેર જગ્યાઓ પર દબાણ કરી લીધું છે, જેને દૂર કરવા માટે હવે અંતિમ તબક્કાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય વેપારી વિસ્તારો, જેમ કે મોટા બજાર અને ચાંદની ચોક, સહિત અન્ય વિસ્તારોમાં દબાણ હટાવવાની અંતિમ સૂચના આપવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટ કરી દીધું છે કે જો વેપારીઓએ પોતાનું દબાણ તાત્કાલિક દૂર નહીં કરે, તો પાલિકા દ્વારા સીધી તોડફોડની કાર્યવાહી હાથ ધરાશે. નવસારી ટાઉન…
મરોલી ગામના મિરઝાપુર વિસ્તારમાં એક દંપતી હાઇટેન્શન લાઇનના ટાવર પર ચડી જતાં હલચલ મચી ગઈ. પોલીસને મળેલા માહિતીના આધારે ઘટનાસ્થળે પહોંચતાં જાણવા મળ્યું કે દંપતી દારૂના નશામાં હતું. પોલીસે સમજાવટ કરીને તેમને સલામત રીતે નીચે ઉતાર્યા. પોલીસે ફટાફટ કાર્યવાહી કરી: નવસારી પોલીસ કંટ્રોલ રૂમમાં મળેલા એક કોલ અનુસાર, એક દંપતી વીજ ટાવર પર ચડી ગયા હતા. ઘટનાની ગંભીરતા સમજી મરોલી પોલીસને તાત્કાલિક ત્યાં રવાના કરવામાં આવી. સ્થળ પર પહોંચ્યા બાદ, પોલીસને સ્પષ્ટ થયું કે આ દંપતી દારૂના પ્રભાવ હેઠળ હતું અને પોતાનું સંતુલન પણ જાળવી શકતું નહોતું. પોલીસે સમજાવી નીચે ઉતાર્યા: પોલીસ કર્મચારીઓએ પતિને સમજાવીને પહેલા નીચે ઉતાર્યો અને ત્યાર…
નવસારી જિલ્લાના નેશનલ હાઇવે 48 પર આવેલા બોરિયાચ ટોલનાકે આગામી 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં 4 થી 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયનો સીધો અસર પ્રત્યે 30,000 જેટલા રોજના વાહનચાલકો પર પડશે. માત્ર ચાર મહિના પહેલાં, નવેમ્બરમાં, બોરિયાચ ટોલ ટેક્સમાં 70% જેટલો વધારાની જાહેરાત થઈ હતી, જે મોટો મુદ્દો બન્યો હતો. આ ભારે વધારો વિવાદિત બન્યો હતો અને સ્થાનિક સ્તરે તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત થયા પછી પણ ઘટાડો કરવામાં આવ્યો ન હતો. હવે, હાઈવે ઓથોરિટી દ્વારા દર વર્ષે એપ્રિલમાં કરવામાં આવતા ટેક્સ રિવિઝન અંતર્ગત ફરી ટોલ દરમાં વધારો કરાયો છે. આ નિર્ણયને કેટલાક સ્થાનિક લોકો અને વાહનચાલકો અનાયાસ…
નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (NDCA)એ નવસારી પ્રીમિયર લીગ (NPL) શરૂ કરી છે, જે આઠ વર્ષના વિરામ પછી ફરીથી આયોજિત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ નવસારી જિલ્લાના યુવા ક્રિકેટ ખેલાડીઓની છુપાયેલી પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો અને તેઓને પ્રદર્શિત કરવાનો છે. લીગમાં જિલ્લાના 8 ટીમો ભાગ લેશે અને NDCAમાં નોંધાયેલા 120 ખેલાડીઓ આ મંચ પર પોતાનું કૌશલ્ય બતાવશે. લૂંસીકુઇ મેદાન ખાતે આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં બરોડા ક્રિકેટ એસોસિએશનના સભ્ય અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર નયન મોંગિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલિવૂડના જાણીતા અભિનેતા રાહુલ રોય પણ હાજર રહેવાના છે. આ લીગ ત્રીજીવાર નવસારીમાં યોજાઈ રહી છે અને…