Author: Atul Rathod

નવસારી શહેરમાં પોલીસે વહેલી સવારથી કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે. સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો, ખાસ કરીને બાંગ્લાદેશીઓની ઓળખ માટે ચાલતા ઓપરેશનના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને મુસ્લિમ બહુલ વિસ્તારોમાં લોકોના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં સલામતીને ધ્યાને રાખીને રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓના જોખમને ઘટાડવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને પહલગામ આતંકી હુમલા જેવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ સતર્ક છે. DYSP સંજય રાય અને તેમની ટીમે PI અને PSI સહિતના સ્ટાફ સાથે નવા ઉપક્રમો દ્વારા કામની શરૂઆત કરી છે. નવસારીના અલગ-અલગ વિસ્તારોમાં સાવચેતાઇપૂર્વક દરવાજે દરવાજે…

Read More

નવસારીમાં વર્ષ 2010થી પરિમલભાઈ દેસાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવીને ભારતીય ખેતીની નવી દિશા બતાવી છે. પ્રકૃતિના પાંચ આયામોને જીવનમાં ઉતારીને જમીનના ફળદ્રુપતામાં વધારો કરીને ઓછી મૂલતે વધુ પેદાશ મેળવી શકાય છે. પાંચ આયામો: બીજામૃત ઘન જીવામૃત આચ્છાદાન વાપસા મિશ્રપાક પદ્ધતિ આ પદ્ધતિઓના ઉપયોગથી જમીનમાં ચોખ્ખાપણું અને ફળદ્રુપતા બંનેમાં વધારો થયો છે. પરિમલભાઈના સિદ્ધાંતો: પંચસ્તરીય મોડેલનો ઉપયોગ: કેરી, ચીકુ, શેરડી અને ચોખાના પાકમાં બમણું ઉત્પાદન. મૂલ્યવર્ધનથી આવકમાં વધારો: પાકોની માર્કેટિંગ અને પ્રક્રિયા દ્વારા વધુ મકસદ મેળવ્યા. પર્યાવરણ સાથે સંતુલન: રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ વગર શૂન્ય બજેટ ખેતી શક્ય છે. સરકારી સહાય અને ટેકનિકલ માર્ગદર્શન: નવસારી કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત સરકાર દ્વારા…

Read More

ધમડાછા ખાતે આવેલા સી.કે. ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટમાં અમૃતમ હોસ્પિટલ ગણદેવી તથા રોટરી ક્લબ ગણદેવીના સંયુક્ત ઉપક્રમે અમૃતમ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના મુખ્ય સ્પોન્સર એડવાઈઝ ફાઇનાન્શિયલ સર્વિસ ગણદેવીના પિનલ નાયક અને રવિ નાયકના મુખ્ય આર્થિક સહયોગ સાથે છ જેટલી ટીમો વચ્ચે ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી. આ ટુર્નામેન્ટનું આયોજન આઈ.પી.એલ. પ્રકારે વિવિધ ટીમના માલિકો દ્વારા કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં ડૉ.કમલ વશીની મંગલમ ટીમ, જય દેસાઈની જેકી સ્ટ્રાઈકર્સ ટીમ, ડૉ.ચિરાગ દેસાઈ અને પોરસ નાયકની સુપર શિવમ ટીમ, નિસર્ગ મહેતા અને વિરાંગ દેસાઈની મૂન નેચર ટીમ, અલ્યક મહેતા અને શિવ નાયકની ફ્રેન્ડસ ઇલેવન તથા પ્રીત નાયકની રક્ષા મેડિકલ ટીમના…

Read More

ચીખલીના આલીપોર ગામના યુવક દ્વારા વકીલના ખોટા સિક્કા અને સહીનો ઉપયોગ કરી નકલી દસ્તાવેજ બનાવવાના ગુનાની ઘટના પ્રકાશમાં આવી છે. શોએબ મન્સુર નામના આ શખ્સે ચીખલીના એડવોકેટ નલિનભાઈ વૈદ્યની નોટરી સહી-સિક્કાનો ખોટો ઉપયોગ કરીને વિદેશ જવાના કામ માટે ખોટા એફિડેવિટ બનાવ્યા હતા. આ પ્રકરણની શરુઆત ત્યારે થઈ જ્યારે નલિનભાઈ વૈદ્યને ખબર પડી કે તેમની સહી-સિક્કાવાળી ઝેરોક્ષ નકલી દસ્તાવેજ તરીકે ઉપયોગમાં લેવાઈ રહી છે. નોટરીના ખોટા સિક્કા અને રાઉન્ડ શીલ બનાવીને શોએબ મન્સુરે આ કામ કર્યું હતું. એફિડેવિટમાં ખોટી સહી અને સિક્કા બનાવી અનેક લોકોને નકલી દસ્તાવેજ પુરાં પાડવામાં આવ્યા હતા. આ સમગ્ર કેસની જાણ થતાં એડવોકેટ નલિનભાઈ વૈદ્યે ચીખલી પોલીસ…

Read More

ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે રેડ દરમિયાન ગુજરાતમાં સૌપ્રથમ વખત ગાંજા યુક્ત “જોમ્બી ઇ-સિગારેટ”નો કેશ ઉકેલવામાં આવ્યો. આ ઓપરેશન સ્ટેટ મોનિટરિંગ સેલના સિનિયર અધિકારીઓની માર્ગદર્શિકા હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું, જે રાજ્યમાં નશીલા પદાર્થો સામેની લડતમાં મહત્ત્વપૂર્ણ સિદ્ધિ બની છે. કબ્જે કરાયેલ મુદ્દામાલ • 20 ગાંજા યુક્ત જોમ્બી ઇ-સિગારેટ, જેની બજાર કિંમત અંદાજે ₹20 લાખ છે. • 80 ગ્રામ હાઈબ્રીડ ગાંજા, જેની બજાર કિંમત ₹8 લાખ છે. • કુલ મુદ્દામાલની કિંમત: ₹28 લાખ. ધરપકડ બાદ કરાઈ સખત કાનૂની કાર્યવાહી આ રેડ દરમિયાન બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેઓ પર કાયદા મુજબ પગલાં…

Read More

નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામમાં દીપડાના દેખાવાની ઘટના સામે આવી છે, જેમાં દીપડાએ આમલી ફળીયામાં એક પાલતુ કુતરાનું શિકાર કર્યું છે. રહેણાંક વિસ્તાર સુધી દીપડાના પ્રવેશથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. આ ઘટના બાદ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગ્રામજનોને શાંત રહેવા તથા સાવચેતી રાખવા સૂચના આપી હતી. વનવિભાગે સ્થળ પર દીપડાને પકડવા માટે પ્રયત્ન શરૂ કર્યા છે. ગણદેવા ગામમાં આ પ્રકારની ઘટના પહેલી વાર નથી. અગાઉ પણ નવસારી જિલ્લાના વિવિધ ગામડાઓમાં આવી ઘટનાઓ બની છે, જેનાથી સ્થાનિક લોકોમાં સતત ભય જોવા મળે છે. વસાહત વિસ્તાર અને જંગલ વચ્ચેની નજીકને કારણે આ પ્રકારની ઘટનાઓ વધી…

Read More

નવસારી શહેરમાં છેલ્લા 150 વર્ષથી આદિવાસી સમાજ વસવાટ કરી રહ્યો છે. આદિવાસી સમાજના લોકો સરકારી જમીન, કબજાવાળી જમીન કે ભાડાની જગ્યામાં રહે છે. તાજેતરના અનુભવો દર્શાવે છે કે ટીપી સ્કીમ (ટાઉન પ્લાનિંગ સ્કીમ)ના અમલમાં આદિવાસી સમાજના હિતોની અવગણના થાય છે, જેનાથી તેઓને વિસ્થાપન અને કાયદાકીય લડાઈઓ ભોગવવી પડતી હોવાના આક્ષેપો નવસારી શહેરના વિવિધ વિસ્તારના લોકો કરી રહ્યા છે. મુખ્ય પડકારો: ટીપી સ્કીમમાં આદિવાસી હિતોને અવગણવું: આદિવાસી સમાજના મકાનો અને વસવાટની જગ્યાને પૂરતું મહત્વ નથી અપાતું. જમીન માલિકીના પુરાવાની ગેરહાજરી: જમીનના કાયદાકીય દસ્તાવેજોની અભાવના કારણે આદિવાસી પરિવારોએ મુશ્કેલી વેઠવી પડે છે. વિસ્થાપનથી પરિચાર અને અસ્તિત્વ પર અસર: વસવાટ બદલાતા આદિવાસી પરિવારોની…

Read More

શિક્ષણ સમાજના વિકાસનું માળખું છે. પ્રાથમિક શિક્ષણ એ બાળકના વ્યકિતત્વના ઘડતર માટેનો પ્રથમ અને મહત્વપૂર્ણ પગથિયું છે. શિક્ષણ દ્વારા નાગરિકોમાં આધુનિક વિચારો, નૈતિક મૂલ્યો અને આત્મવિશ્વાસનું નિર્માણ થાય છે. વિદ્યાને કારણે બાળકના જીવનમાં માત્ર રોજગારી નહીં પરંતુ સર્વાંગી વિકાસ માટેનું દ્વાર ખુલ્લું થાય છે. એવું જ કામ નવસારી જિલ્લાની આ શાળામાં થઈ રહ્યું છે. પ્રાથમિક શાળા પટેલ ફળિયા, વર્ગ બામણવેલ, શાળા બંધ થવાના આરે હતી, પરંતુ એસએમસી અધ્યક્ષ મહેશભાઈ, કમિટી અને બધા ગામલોકોના સહકારથી શાળાને નવા જીવનદાન મળ્યું છે. આજે, આ શાળામાં 15 બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને બે શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. આ વર્ષ ધોરણ 5ના…

Read More

નવસારી જિલ્લાના ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. આગામી 21 મે 2025થી 25 મે 2025 સુધી, લુન્સીકુઈ ગ્રાઉન્ડ, નવસારી ખાતે યોજાવા જઈ રહી છે. આ ગ્રાન્ડ ટુર્નામેન્ટમાં જિલ્લાની ટોપ 16 સુપર ટીમો મેદાને ઉતરશે, જેમાં નવસારી જિલ્લાના બે આઈકોન ખેલાડીઓ પણ રમતા જોવા મળશે. વર્ષદર વર્ષ આ ટુર્નામેન્ટ પોતાની વ્યાપકતા અને રોમાંચ માટે ઓળખાતા જાય છે. https://youtu.be/41qzgiFLavI?si=Up4duNTjI4wXHQx3 વિજેતા ટીમ માટે ઘોષિત ઇનામ રકમ છે ₹1,25,000 જ્યારે રનર અપ ટીમને મળશે ₹75,000 – જે ખેલાડીઓ માટે મોટો પ્રોત્સાહન છે. ટુર્નામેન્ટનું આયોજન યુવા અને જુસ્સાદાર આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે ઓક્શનથી લઈ આખા આયોજન સુધી દરેક બાબતમાં વ્યાવસાયિક દૃષ્ટિકોણ…

Read More

ડૉ. બાબાસાહેબ આંબેડકર, ભારતીય બંધારણના નિર્માતા અને મહાન સમાજસુધારક, તેમના જીવન અને યોગદાનને યાદ કરવા માટે નવસારીમાં ભવ્ય રીતે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ લૂંસિકુઇ આંબેડકર સર્કલ ખાતે યોજાયો હતો, જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ડૉ. આંબેડકર પ્રત્યે પુષ્પ અર્પણ કર્યા. એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને ‘બંધારણના ઘડવૈયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી…

Read More