Author: Atul Rathod

નવસારી ગ્રામ્ય પોલીસે જાહેર સ્થળોએ મોપેડની ડિક્કી ખોલી નકલી ચાવી દ્વારા ચોરી કરનારા રીઢા ચોરને ઝડપી પાડ્યો છે. આ ચોરીના કેસમાં દીપ દેસાઈ નામના શખ્સે મોપેડની ડિક્કીમાંથી રોકડા, મોબાઇલ અને અન્ય કિંમતી સામાનની ચોરી કરી હતી. જમાલપોર, ઇટાળવા અને વીરવાડી મંદિર જેવા વિસ્તારોમાં મોપેડમાં રોકાયેલા લોકોથી ડુપ્લિકેટ ચાવી વડે લોક તોડી, ચોરે રોકડા અને મોબાઇલ ચોરી કર્યા હતા. આ ચોરીઓનો પર્દાફાશ કરવા માટે પોલીસ દ્વારા ગહન તપાસ હાથ ધરવામાં આવી હતી. ગ્રામ્ય પોલીસ મથકે કુલ 4 ચોરીના કેસ ઉકેલવામાં આવ્યા છે, જેમાં કુલ રૂ. 1,91,500 ના મુદામાલનો સમાવેશ થાય છે. કબ્જામાં આવેલા મુદામાલમાં 5 મોબાઇલ ફોન, 2 એક્સેસ મોપેડ અને…

Read More

ગુજરાત બેડમિન્ટન એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા અને ચુંટણી સૂર્યા પેલેસ, વડોદરા ખાતે મળી હતી. જેમાં નવસારી ડીસ્ટ્રીક બેડમિન્ટન એસોસીએશન ના પ્રમુખ અને નારણ લાલ કોલેજ ના શારીરિક શિક્ષણ ના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. મયુર પટેલ ની કારોબારી સમિતિ ના સભ્ય તરીકે અગામી ચાર વર્ષ માટે (૨૦૨૫-૨૦૨૯) માટે વરણી કરવામાં આવી હતી. આ સમગ્ર ચુંટણીનું સંચાલન એડવોકેટ જરેશ જગદીશચંદ્ર શાહ એ કર્યું હતું. તેમજ ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસિએશન ના નિરિક્ષ્ક તરીકે શ્રી કૌશિકભાઈ બીડીવાલા ઉપસ્થિત રહયા હતા. ગુજરતા બેડમિન્ટનના ઇતિહાસ મમાં 72 વર્ષ પછી વેસ્ટ ઝોન ઇન્ટર સ્ટેટ્સ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ગુજરાતની ખેલાડીઓ બહેનોએ ચેમ્પિયનશિપ હાંસલ કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો…

Read More

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરમાં પોલીસે અસીમ બલ્લા શેખ અને તેના ભાઈઓના બિનઅધિકૃત બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગુનેગારો સામે ખેરગામ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ખંડણી, વ્યાજખોરી, બળાત્કાર અને મારામારી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. વિશેષમાં, વર્ષ 2023માં અસીમ શેખ અને તેના સાગરિતો સામે ગુજશિટોક હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ કાર્યવાહી દરમિયાન ખેરગામ ગ્રામ પંચાયતની જમીન પર બનેલા બિનઅધિકૃત બાંધકામને નિશાન બનાવ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય…

Read More

નવસારીના પૂર્વ પટ્ટીના નાગધરા ગામે એક યુવાન પર દિપડાએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના આજે વહેલી સવારે બની હતી, જ્યારે 35 વર્ષીય સુશીલ જેરામભાઈ પટેલ પોતાના ખેતરમાં લીલીના ફુલ તોડવા ગયા હતા. અચાનક બે દિપડાઓ ત્યાં દેખાયા, જેમાંથી એકે સુશીલભાઈ પર હુમલો કર્યો. આ દુર્દશાને કારણે તે બુમાબુમ કરવા લાગ્યા, જેના કારણે બીજો દિપડો ત્યાંથી ભાગી ગયો. સુશીલભાઈએ તત્પરતા અને બહાદુરી બતાવતા વચ્ચે હાથ મૂકીને મોટી ઈજાઓથી પોતાને બચાવ્યા. હાલ સુશીલભાઈને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. તેમને હાથ, છાતી, મોઢા અને માથાના ભાગે ઇજાઓ થઈ છે, પરંતુ તેઓની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું…

Read More

ડીજીપીના આદેશ અનુસાર 100 કલાકની અંદર લુખ્ખા તત્વો અને શંકાસ્પદ લોકોની ઓળખ કરવા માટે નવસારી પોલીસ દ્વારા રવિવારે વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું. શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને શંકાસ્પદ તત્વોની તપાસ કરવામાં આવી. હિસ્ટ્રીશીટરો અને ભૂતકાળમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા લોકોના ઘરોમાં સુચિત તપાસ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક, એલસીબી પીઆઇ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા. પોલીસ ટુકડી દ્વારા એક મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે લોકો સાથેની સંવાદીતાથી માહિતીઓ એકત્ર કરાઇ અને શંકાસ્પદ વિસ્તારોમાં ચુસ્ત તપાસ હાથ ધરવામાં આવી. આ ઓપરેશનનો મુખ્ય હેતુ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવો અને જાહેર જનતામાં ભયમુક્ત…

Read More

નવસારી જિલ્લાના ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અધ્યક્ષ તરીકે ભુરાલાલ શાહની બીજી વખત વરણી કરવામાં આવી છે. આ અવસરને યાદગાર બનાવવા માટે વોર્ડ નંબર 12 માં ડો. શિરીષ ભટ્ટ અને રાકેશ પટેલ (લોઇડ) સહિતના અગ્રણીઓ દ્વારા નવસારી ખાતે ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુરાલાલ શાહે નવસારી ભાજપ સંગઠનને મજબૂત બનાવવા અને પાર્ટીના વલણને આગળ ધપાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમના નેતૃત્વ હેઠળ, ભાજપે નવસારી જિલ્લામાં અનેક રાજકીય અને સામાજિક પ્રગતિ હાંસલ કરી છે. તેમના પ્રયાસો અને દૃઢ સંકલ્પના કારણે પક્ષના અનેક કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને મજબૂતી જોવા મળી છે. ભુરાલાલ શાહની વરણીની ખુશીમાં નવસારી જિલ્લાના ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકોએ…

Read More

હોળી અને ધુળેટી જેવા રંગીન તહેવારોમાં ઉત્સવની ખુશીઓની સાથે કેટલીક વખત અનિચ્છનીય પરિસ્થિતિઓ પણ સર્જાય છે. તહેવારોના આ દિવસોમાં, ખાસ કરીને નવસારી જિલ્લામાં ઇમરજન્સી કેસોમાં 24.68% જેટલો વધારો થવાની શક્યતા રહે છે. આ આંકડો ભવિષ્યની પ્રતિકૂળ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે જરૂરી તૈયારી દર્શાવે છે. જિલ્લાની આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવાના હેતુથી, નવસારી જિલ્લાની 16 એમ્બ્યુલન્સ સતત 24×7 કાર્યરત રહેશે. આ સેવાઓ તત્કાળ સારવાર અને પીડિતોને ઝડપથી મદદરૂપ થવા માટે સજ્જ છે. આ માટે કોઈ પણ ઈમરજન્સી પરિસ્થિતિમાં 108 ડાયલ કરવાનું ભૂલશો નહીં. આ તાત્કાલિક સેવા તમારા અને તમારા નજીકના લોકો માટે જીવન બચાવનારા સાબિત થઈ શકે છે. https://youtu.be/j6W-575GVyM?si=kdWNi_whbvEfBRwv તહેવારો દરમ્યાન…

Read More

નવસારી શહેરમાં આઠ વર્ષ પછી પ્રખ્યાત નવસારી પ્રીમિયર લીગ (NPL) ક્રિકેટ ટુર્નામેન્ટ ફરીથી યોજાવા જઈ રહી છે. માર્ચ-એપ્રિલ મહિનામાં યોજાનારી આ ટુર્નામેન્ટ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા દરમિયાન ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ક્રિકેટ ચાહકો અને સ્થાનિક ખેલાડીઓના ઉત્સાહે નવા ઔજ્જસ પામ્યું. નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (NDCA)ની આગેવાની હેઠળ લુંસીકુઈ મેદાન ખાતે આ પ્રસંગ યોજાયો, જ્યાં અનેક ટુંકા અને લાંબા ફોર્મેટના ક્રિકેટર્સ પોતાની આગવી છાપ છોડી ગયા હતા. ઓક્શન દરમિયાન 8 ટીમના માલિકોને બે લાખ પોઇન્ટ આપવામાં આવ્યા, જેના આધારે તેઓને કુલ 15 ખેલાડીઓની પસંદગી કરવાની હતી. ટુર્નામેન્ટમાં કુલ 441 ફોર્મ ભરાયા હતા, જેમાંથી માત્ર 120 ખેલાડીઓ પસંદ કરાયા છે. આઠ…

Read More

રવિવારે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ભારતીય ટીમે ત્રીજી વખત ટાઇટલ જીત્યું. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું. આ સાથે, ભારતે સાતમી વખત ICC ટુર્નામેન્ટ જીતી. ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં, ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા; જવાબમાં, ભારતે 6 બોલ બાકી રહેતા ટાઇટલ મેચ જીતી લીધી. ભારતે 49 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા. ભારત માટે રવિન્દ્ર જાડેજાએ વિજયી ચાર ફટકાર્યા. ન્યુઝીલેન્ડની ટીમ ફરી એકવાર ફાઇનલમાં હારી ગઈ છે. નવસારરીમા આ ક્ષણ મની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી.  ૨૫૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને રોહિત…

Read More

નવસારીના વાંસી ગામે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીWriting “લખપતિ દીદીઓ” સાથે સ્પેશ્યલ સંવાદ કર્યો. આ દીદીઓ ગુજરાત સરકારના વિવિધ પાંખ હેઠળ કાર્યરત સખી મંડળ અને સ્વસહાય જૂથોનો ભાગ છે, જેઓ આર્થિક સશક્તિકરણ દ્વારા પોતાના જીવનમાં ક્રાંતિકારી બદલાવ લાવી રહ્યા છે. વડાપ્રધાને “લખપતિ દીદી”ના જીવનમાં આવેલા પરિવર્તનના કિસ્સાઓ સાંભળ્યા અને તેમનું ઉત્સાહ વધાર્યું. તે દૈનિક જીવનમાં સ્વરોજગારની મહત્તા અને મહિલા સશક્તિકરણ માટે આ પ્રકારના પ્રયાસોની મહત્વતા પર ભાર મૂકતા દેખાયા. તેમણે કહ્યું કે, “લખપતિ દીદીઓ એ આત્મનિર્ભર ભારતના આદર્શનું જીવંત ઉદાહરણ છે. https://www.youtube.com/live/Mj8r_USgM6k?si=Lh7iaeCk3z_Qg9U1 લખપતિ દીદીઓએ તેમની સફળતાની વાર્તાઓ વડાપ્રધાન સાથે શેર કરી, જેમકે કૃષિ આધારિત વ્યવસાયો, હસ્તકલા અને અન્ય નાના ઉદ્યોગો…

Read More