Author: Atul Rathod

ભારતીય જનતા પાર્ટી દેશ અને દુનિયામાં સૌથી મોટી રાજકીય પક્ષ તરીકે ઉભરીને આગળ આવ્યો છે. કાર્યકર્તાઓની લાંબી કતાર ભારતીય જનતા પાર્ટીમાં તાકાત બનીને આગળ આવી છે ગુજરાતમાં 30 વર્ષથી રાજ સંભાળે છે અને કેન્દ્રમાં 10 વર્ષથી સત્તાનું સુખાન સાંભળી રહ્યા છે અને ત્રીજી વખત કેન્દ્રમાં પણ પોતાનું સુખાન સંભાળીને ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ જવા માટે મથામણ કરી રહ્યો છે. વિવિધ રાજ્યોમાં એક પછી એક જીત હાંસલ કરી રહ્યા છે અને કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો વધારી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સંગઠન પર્વની શરૂઆત કરી છે એમાં કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ ઊભો થયો છે.  ભારતીય જનતા પાર્ટી…

Read More

નવસારીના શાંતાદેવી વિસ્તારમાં કડવા પટેલ સમાજને વસાવનાર પહેલા મોરબીના વ્યક્તિ તરીકે તેમનું નામ આજે પણ સ્વમાન ભેર ગર્વ ભરી રીતે લેવામાં આવે છે. નવસારી શહેરમાં ભારતીય જનતા પાર્ટી અને જનસંઘ સમયથી મજબૂત કરવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું હતું. નવસારી શહેરને ભાજપના રંગે રંગવામાં પણ તેમનું યોગદાન મહત્વનું રહ્યું છે. મોરબી થી ધારાસભ્ય બન્યા બાદ રાજ્ય સરકારમાં પ્રધાન મંડળ પણ  સ્વભાવ્યું હતું. શાંતાદેવી રોડ વિસ્તારમાં આજે પણ તેમનું નામ કડવા પાટીદાર સમાજ ગર્વ અનુભવે છે. સ્વર્ગીય મગનભાઈ કાસુન્દ્રાની 26મી પુણ્યતિથિએ તેમના પરિવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજ ઉપયોગી કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે સમાજમાં જરૂરિયાત…

Read More

નવસારી જીલ્લો તાપી જિલ્લાની જેમ ધર્માંતરણમાં આગળ ન વધે તેવી ચિંતા સંગઠન વ્યક્ત કરી છે. નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે હિન્દુ સંગઠનના સભ્યો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. હિન્દુ સંગઠનો ભય છે કે નવસારી જીલ્લો તાપી જિલ્લાની જેમ ધર્મ પરિવર્તનની દિશામાં આગળ ન વધે, થોડા દિવસ અગાઉ નવસારી શહેરમાં આવેલી ખાનગી શાળાના શિક્ષક અને તેની પત્ની દ્વારા બારડોલીના બાબલા ગામ ખાતે યોજાયેલા ખ્રીસ્તી ધર્મના કાર્યક્રમમાં હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી જે મામલે બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ થયા બાદ ધરપકડ થઈ હતી,આ મુદ્દો હવે હિન્દુ સંગઠન માટે ચિંતાનો વિષય બનતો જાય છે. https://youtu.be/bP85aoPituU?si=Mb4QOjvWZR9d9Qsu નવસારી જિલ્લામાં આવેલા આદિવાસી પંથકમાં…

Read More

નવસારી જિલ્લામાં મીડિયા કર્મીઓ માટે યોજાયેલા આ મેડીકલ કેમ્પમાં કુલ-૫૦ જેટલા પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાકર્મીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે રેડક્રોસ શાખા નવસારીના ચેરમેનશ્રી તુષારકાન્ત દેસાઈએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્રમને વધાવી લેવામાં આવ્યો છે. રેડક્રોસ સમાજમાં નાગરિકોની સેવા માટે હંમેશા તત્પર રહે છે. રેડ ક્રોસ અને મીડિયાકર્મીઓ બંને સમાજ માટે કામ કરે છે. આથી લોકશાહીનો ચોથો સ્થંભ મજબૂત અને સ્વસ્થ રહે તે ખુબ જરૂરી છે. આ પ્રસંગે મીડિયાકર્મીઓ પૈકી એક શ્રી મિનેશ ટેલરએ આ બાબતે પોતાના વિચારો રજુ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારશ્રી તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ…

Read More

નવસારીનું બોરીયાચ ટોલનાકુ જે મુંબઈથી આવતા કે મુંબઈ તરફ જતા લોકો માટે અહીં ટોલ ટેક્સ ભરીને આવન જાવન કરવાનું હોય છે. જોકે આ વચ્ચે થોડા દિવસ પહેલા આજે ટોલ ટેક્સના ભાવમાં વધારો થયો હોવાના સમાચારો સામે આવ્યા હતા. આ ટોલ ટેક્સમાં કરાયેલા વધારાને કારણે સીધી અસર વાહન ચાલકોના ખિસ્સામાં પડે છે. મહત્વનું વાત એ છે કે બોરીયાચ ટોલનાકા ખાતે જ્યાં નેશનલ હાઈવે નો રસ્તો છે આ રસ્તામાં સુવિધા ન આપવામાં આવતી હોવાની પણ ફરિયાદો અગાઉ ઉઠી હતી. લાંબા સમયથી તૂટેલી હાલતમાં અહીંના રસ્તાઓ હતા. તેમ છતાં પણ શા માટે અહીં ટેક્સ ઉઘરાવવામાં આવે છે તેનો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે.…

Read More

પેન્શનધારકો પોસ્ટમેન અથવા પોસ્ટ ઈન્ફો મોબાઈલ એપ દ્વારા આ સુવિધા માટે અનુરોધ કરી શકે છે પેન્શનધારકોએ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બરમાં ટ્રેઝરી, બેંક અથવા સંબધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. જેના માટે દૂર-દૂરના વિસ્તારમાં રહેતા પેન્શનરોને ટ્રેઝરીમાં જવા ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ખર્ચ થતો હોય છે. પરંતુ હવે ભારતીય ડાક વિભાગ દ્વારા તમામ વિભાગના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા અપાઇ રહી છે. આ માટે રૂપિયા ૭૦ની ફી નિર્ધારીત કરાઈ છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે અને પેન્શન મળવામાં કોઈ અડચણ નહીં થાય. પોસ્ટ માસ્ટર જનરલ…

Read More

કહેવાય છે કે દરિયામાં જતા પહેલા મોજાના સ્વભાવને સમજવું ખૂબ જ જરૂરી છે, નહીં તો નાની ભૂલ મોટી દુર્ઘટના બની શકે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જે કોઈની પણ કરોડરજ્જુમાં કંપ લાવી શકે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા તેની પુત્રી સાથે દરિયા કિનારે બેઠી છે. ત્યારે અચાનક એક જોરદાર લહેર આવે છે, જે બંનેનું સંતુલન ખોરવે છે. તે લપસીને દરિયામાં પડી જાય છે. શરૂઆતમાં તેને આ બધું રમુજી લાગે છે અને તે હસતી જોવા મળે છે. પરંતુ મોજા એટલા શક્તિશાળી છે કે કિનારા પર આવવા છતાં તેઓ પોતાની…

Read More

માનસિક અસંતુલન માણસને ગુનાની દુનિયામાં લઈ જતું હોય છે. ગુનાની દુનિયામાં પ્રવેશ્યા બાદ ગુનાઓની હારમાળા રચી દેતા હોય છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ગામે કોલેજીયન યુવતી પર બળાત્કાર બાદ હત્યાના ગુનામાં સીરીયલ કિલર હરિયાણાના રાહુલ ચાટની વલસાડ પોલીસે 11 દિવસ બાદ ધરપકડ કરી છે. છ રાજ્યોમાં રખડીને 25 દિવસમાં પાંચ હત્યાઓના ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે. ચોરી લૂંટ, હથિયાર રાખવા, ટ્રક ચોરી કરનાર રાહુલ ચાટ પોલીસના શકુંજામા આવી ગયો છે. સાથે ચાર રાજ્યોમાં પાંચ હત્યાના ગુનાઓનો પણ ખુલાસો થયો છે. આરોપીએ કરેલી હત્યાઓ…. હત્યા એક .. 25. 10. 2024… આરોપી બેંગ્લોર થી નિર્દેશ્વર જતી ટ્રેનમાં વિકલાંગ ડબ્બામાં મુસાફરી કરી…

Read More

નવસારીમાં સાતેમગામ ખાતે શિયાળ દેખાયું હતું. જોકે આ શિયાળ ઈજાગ્રસ્ત હાલતમાં હતું. સ્થાનિકે આ શિયાળને ગંભીર હાલતમાં જોતા તેમણે તાત્કાલિક એનિમલ સેવિંગ ગ્રુપ નવસારી ને જાણ કરતા તાત્કાલિક એનિમલ સેવિંગ ગ્રુપ ના સભ્યો બ્રિજેશ સખીવાલા,હિતેન પટેલ તેમજ શ્રેયસ સોલંકી સ્થળ પર પહોંચી તપાસ કરતા એક શિયાળ જે કોઈક વાહન ની અડફેટે આવતા તેને કમર ના ભાગે ઈજા પહોંચી હતી જેથી એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા તાત્કાલિક વન વિભાગ ને જાણ કરતા વન વિભાગના સ્ટાફ નવલસિંહ તથા હિરેન ભાઈ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને એનિમલ સેવિંગ ગ્રુપ ના સભ્યો સાથે શિયાળ ને રેસ્ક્યુ કરી સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું.

Read More

તા.૦૯-૧૧-૨૦૨૪ ના રોજ મુખ્યમંત્રી કાર્યાલય, ગાંધીનગર દ્વારા ગાર્ડા કોલેજના અંગ્રેજીના પ્રાધ્યાપક ડૉ. નેહા અરૂણ હરિયાણીનું પુસ્તક * એન એલિવેટર ઓફ લાઇફ: પાઉલો કોએલો અને રોબિન શર્મા, જે મેકમિલન ઇન્ટરનેશનલ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયેલ છે, તેનું વિમોચન ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ (ઇન્ચાર્જ) અને MMTTC ના ડાયરેકટર અને પ્રોફેસર ડૉ. જગદીશ જોષીની વિશેષ ઉપસ્થિતિમાં અને જલાલપોરના આદરણીય ધારાસભ્ય શ્રી આર.સી.પટેલની શુભેચ્છાથી કરવામાં આવ્યું હતું. એન એલિવેટર ઓફ લાઇફ: પાઉલો કોએલો અને રોબિન શર્મા”, એ ડૉ.નેહા અરૂણ હરિયાણી દ્વારા આકાર પામેલ પુસ્તક છે. આ પુસ્તક વિશ્વના મહાન બે લેખક પાઉલો કોએલો અને રોબિન શર્માની…

Read More