- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
10 દિવસ સુધી ચાલતો ગણેશ ઉત્સવ ગણેશ ચતુર્થીના દિવસથી શરૂ થાય છે. આ દરમિયાન ગણપતિની પૂજા કરવામાં આવે છે અને તેમને વિવિધ રીતે પ્રસન્ન કરવાના પ્રયાસો કરવામાં આવે છે. મંદિરો અને જે ઘરોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે ત્યાં ભારે ઉત્તેજના જોવા મળે છે. 10 દિવસ પછી અનંત ચતુર્દશીના દિવસે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. જો કે, દરેક વ્યક્તિના ઘરમાં ગણપતિ 10 દિવસ સુધી નથી રહેતા, લોકો તેનું વિસર્જન પણ પહેલા કરી દે છે. વાસ્તવમાં ગણપતિ બાપ્પાને નદી, તળાવ અને તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. પરંતુ વાતાવરણને ધ્યાનમાં રાખીને ઘરે જ કરવું વધુ સારું છે. સારી વાત એ છે…
પૂર્ણા નદી એ ડાંગ જિલ્લામાંથી નીકળતી પૂર્વમાંથી નીકળીને પશ્ચિમ તરફ જાય છે. ડાંગ જિલ્લાના સુધી શરૂ થઈને ડોલવણ, બુહારી, વાલોડ, મહુવા થઈને નવસારી શહેરમાંથી પસાર થાય છે. સુધીર નજીક મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડેલો વરસાદ તથા સોનગઢ અને વ્યારા તાલુકામાં પડેલો વરસાદ પણ પૂર્ણા નદીમાં આવે છે. પૂર્ણ નદીના કેચમેન્ટ એરિયામાં આવેલા સુધીર, ડોલવ, મહુવા, વાલોડ વિસ્તારમાં એક સાથે 20 ઇંચ થી વધુ વરસાદ પડે તો નવસારી શહેરમાં પૂર આવે છે. અને એક લાખથી વધુ લોકો સીધી અથવા આડકતરી રીતે પ્રભાવિત થાય છે. 1968 ની યાદગાર રેલ નવસારી માટે યાદગાર સાથે દુઃખદાયક 1968 માં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રેલની સ્થિતિ નિર્માણ થઈ…
અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’નું ટીઝર રિલીઝ થયું ત્યારથી જ ચર્ચામાં છે. તાજેતરમાં એવું પણ જાણવા મળ્યું હતું કે અનિલ થડાનીની મોસ્ટ અવેટેડ સુકુમાર દિગ્દર્શિત ‘પુષ્પા 2’ ની જબરદસ્ત સફળતા પછી, ચાહકો ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ‘પુષ્પા 2: ધ રૂલ’ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અલ્લુ અર્જુનની ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ પહેલા જ કરોડો રૂપિયાની કમાણી કરી ચૂકી છે. આ બ્લોકબસ્ટર ફિલ્મે તેના બજેટમાંથી અડધી કમાણી કરી લીધી છે. ફિલ્મ ‘પુષ્પા 2’ના પહેલા ભાગનો ક્રેઝ હજુ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. પુષ્પા 2 OTTની સૌથી મોંઘી ફિલ્મ બની અલ્લુ અર્જુનની જોરદાર સ્ટાઈલ અને રશ્મિકાની…
વિધ્નહર્તા એવા ગણપતિ દાદાની ગણેશ ચતુર્થી પર્વની દેશ અને દુનિયામાં ઉજવણી કરવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યમાં જેમની પ્રથમ પૂજા અર્ચના થાય છે. આજે વાત કરીશું ગણેશવડ સિસોદ્રાની જે હાલ દક્ષિણ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. 1662 વર્ષ પૂર્વે મોગલ શાસક ઔરંગઝેબે મંદિર તોડવા માટે સૈન્ય મોકલી હતું પરંતુ વડમાં સ્વયંભૂ પ્રગટ થયેલા ગણપતિ દાદા ના ચરણોમાંથી ભમરા નીકળ્યા હતા અને સૈનિકો પર હુમલો કર્યો તો ચમત્કાર જોઈને સૈનિકો નાસી ગયા હતા. મૂર્તિપૂજાના પ્રખર વિરોધી એવા ઓરંગઝેબ દ્વારા 20 વીઘા જમીન દાન કર્યાના પુરાવાઓ આજે પણ ઐતિહાસિક દસ્તાવેજોમાં મોજુદ છે. એવા ગણેશ વડ સિસોદ્રા નું મંદિર દક્ષિણ ગુજરાતના…
ઇન્ડિયન કોબ્રા અને ઇન્ડિયન કોમન ક્રેટ એ બે ભારતના સૌથી ઝેરી સાપ છે. સાપ કરડવાથી થતા મૃત્યુ પૈકી એક તૃતીયાંશ મૃત્યુ આ બેના કરડવાથી થાય છે. સાપનું ઝેર વાસ્તવમાં તેની લાળગ્રંથિઓમાંથી વિકસ્યું છે. સામાન્ય રીતે લાળ ખોરાક પચાવવામાં મદદ કરનાર એંજાઈમથી ભરેલી હોય છે. જો કે, સાપે ધીમે ધીમે તેમની લાળમાં એવા ઝેરી એંજાઈમ વિકસાવ્યા જે શિકારને પકડવામાં અસરકારક સાબિત થયા. બેંગોર યુનિવર્સિટી (Bangor University) ના વૈજ્ઞાનિકોએ કિંગ કોબ્રાના સમગ્ર જીનોમનો અભ્યાસ કર્યો તો જાણવા મળ્યું છે કે તેમના ઝેરમાં જોવા મળતા ઝેરી તત્વો સામાન્ય પ્રોટીન કરતા થોડા અલગ છે. નિષ્ણાતોના મતે, જેમ જેમ શિકારમાં સાપના ઝેરથી બચવાની ક્ષમતા વિકસિત…
નવસારી નજીક આવેલા મુનસાડ ગામે દીપડાનો આતંક સામે આવ્યો છે. મુનસાડ ગામમાં આવેલા લીમડા ચોક વિસ્તારમાં વહેલી સવારે દીપડો લટાર મારતો જોવા મળ્યો. દીપડાએ તરાપ મારી શ્વાનનો શિકાર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રહેણાક વિસ્તારમાં દીપડાના આંટા ફેરા વધાતા લોકોમાં ભય ફેલાયો છે. ખોરાકની શોધમાં દીપડો રહેણાક વિસ્તારમાં આંટાફેરા મારતો જોવા મળ્યો. અગાઉ પણ અનેક વાર આ પ્રકારે દીપડાના આંટાફેરા જોવા મળે છે. દીપડાના આંટાફેરા વધતા વન વિભાગના અધિકારીઓને આ બાબતની જાણ કરવામાં આવી.. ગુરુવારે શહૂ ગામે પણ દીપડો નજરે ચડયો હતો. જેને લઈ ગ્રામજનોમાં બહેનો મહોલ ફેલાયો છે.
ડાયાબિટીસ એક એવો રોગ છે જે એકવાર થઈ જાય તો તે જીવનભર તમને છોડતો નથી. અત્યાર સુધી ડાયાબિટીસને હંમેશ માટે દૂર કરવાની કોઈ દવા નથી, તેને માત્ર દવાઓથી જ કંટ્રોલ કરી શકાય છે. લાંબા ગાળે, તમે જીવનશૈલીમાં ફેરફાર કરીને ડાયાબિટીસને નિયંત્રિત કરી શકો છો. ડાયાબિટીસના કિસ્સામાં, સ્વાદુપિંડ પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી, જેના કારણે બ્લડ સુગરનું સ્તર ઊંચું થવા લાગે છે. જો શુગરને સમયસર કંટ્રોલ કરવામાં ન આવે તો તેનાથી બીજી ઘણી ગંભીર બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. ડાયાબિટીસમાં ફળોનો રસ પીવાની મનાઈ છે, પરંતુ ઘણા શાકભાજીના રસ ડાયાબિટીસના…
નવસારી જિલ્લાની તમામ નદીઓ નવસારી જિલ્લાને ચોમાસા દરમિયાન અમાસ અને પૂનમની ભરતી વખતે પૂરના ખપ્પરમાં હોમી દે છે જેના કારણે નવસારી જિલ્લો પુરમાં ડૂબી જાય છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ડાંગ તાપી સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં પડતો હોય છે અને ડાંગ સુરત અને તાપી જિલ્લો એ પૂર્ણ અંબિકા કાવેરી અને મીંઢોળા નદીનો કેચમેન્ટ એરિયા ગણાય છે. એમાં વરસાદ વરસતા ની સાથે પૂરની સ્થિતિ નિર્માણ થાય છે. એક સાથે 10 in થી વધુ વરસાદ પડશે તો નવસારી શહેર બીલીમોરા શહેર અને નદીકાંઠા વિસ્તારોને પુરમાં ડૂબી જવા મજબૂર થવું પડે છે. 1968 ની રેલથી શરૂ થયેલો સિલસિલો આજે પણ યથાવત…
બેંકોમાં થાપણોના ઘટતા સ્તરની ચિંતા વચ્ચે, ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) એ ગુરુવારે જણાવ્યું હતું કે સરળ નિયમોને કારણે છૂટક થાપણો બેંકોમાંથી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ તરફ આગળ વધી રહી છે. IBAના ચેરમેન એમ.વી. રાવે વાર્ષિક ફિબેક કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ માટે સરળ નિયમોને કારણે રોકાણકારોને વધુ વળતર આપવાનું સરળ બને છે. જો કે, કોટક મ્યુચ્યુઅલ ફંડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) નિલેશ શાહે આ દાવાને સમજવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી કે બેન્કોમાં થાપણમાં ધીમી વૃદ્ધિનો દોષ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ પર કેવી રીતે મૂકી શકાય. 99% મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો સંશોધન કરતા નથી. તેમણે કહ્યું કે MF કંપનીઓને…