ભારતીય જનતા પાર્ટી કોઈપણ કાર્યક્રમને પોતાની આગવી અદા થી રજૂ કરતું હોય છે. જમ્મુ કાશ્મીર નું ચૂંટણી ઢંઢેરો પણ એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીએ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગણેશ ચતુર્થી એટલે કે પ્રથમ પૂજાના દેવ એવા ગણપતિ દાદાની ગણેશ ચતુર્થીના દિવસે મેનિફેસ્ટો જાહેર કરીને વિધિવત રીતે દેશના ગૃહ મંત્રી અમિત સાહેબ ઉંચા અવાજે ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે.
ભાજપના મેનિફેસ્ટોની વાત
- કોલેજના વિદ્યાર્થીઓને દર વર્ષે ₹3,000 ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ
- ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ટેબલેટ અને લેપટોપ
- ઉજ્વલા યોજનામાં દર વર્ષે બે મફત એલપીજી સિલિન્ડર
- અટલ આવાસ યોજના ભૂમિ હિન ખેડૂતોને પાંચ વિંગા જમીન
- દરેક પરિવારની વરિષ્ઠ મહિલાને 18000 રૂપિયાની સહાય
- સ્વ સહાય જૂથોને લોન માફી
- યુવાનો માટે પંડિત પ્રેમનાથ ઢોકળા રોજગાર યોજના
- પાંચ લાખ રોજગારોનું સર્જન
- જમ્મુ કાશ્મીર પબ્લિક સર્વિસ કમિશન અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી માટે બે વર્ષ માટે 10,000 કોચિંગ ફીની સહાય
- શ્રીનગરના દાલ સરોવરની વિશ્વ કક્ષાનું પ્રવાસ સ્થળ
- શ્રીનગરના ટેટુ ગ્રાઉન્ડમાં એમ્યુઝમેન્ટ પાર્ક
- ડોડા ચિતવાડ રામન રાજોરી પૂંછ ઉધમપુર અને કઠવા વિસ્તારોને પ્રવાસી ઉદ્યોગ તરીકે વિકસાવાસે..
- કાશ્મીર ખીણમાં ગુલમર્ગ અને પહેલગામને આધુનિક પ્રવાસન શહેરો બનાવાશે
- શ્રીનગરમાં તાવી રિવરફ્રન્ટ બનશે
- રણજીત સાગર ડેમ 200 હલી માટે અલગ તળાવ વિકાસ સત્તામંડળની રચનાની જાહેરાત
- આઇટી હબને જમવામાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવાશે…
ભાજપે 40 સ્ટાર પ્રચારકો મેદાને ઉતાર્યા…
ભારતીય જનતા પાર્ટી મોટાભાગની ચૂંટણીઓમાં પૂર્વ નિર્ધારિત યોજના પ્રમાણે મેદાનમાં ઉતરતી હોય છે રણનીતિની સાથે લોકોના મૂળ અને તેમના મિજાજને પારકીને પોતાનું આયોજન કરતી હોય છે. એ જ રીતે જમવું એન્ડ કાશ્મીરમાં પણ ભારતીય જનતા પાર્ટી આયોજનપૂર્વક યોજના બનાવી છે. ગત લોકસભાની ચૂંટણીમાં પાંચમાંથી બે લોકસભા બેઠકો જીતી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સારો એવો પ્રતિસાદ મળ્યો છે. જેને લઇને ભાજપમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે તાર પ્રચારકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહ મંત્રી અમિત શાહ પાર્ટીએ અધ્યક્ષ જે પી સહિત ચાલુ વિસ્તાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. યાદીમાં શિવરાજ સિંહ યોગી આદિત્યનાથ સ્મૃતિ ઇરાની તથા મહત્વના કેબિનેટ મંત્રીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે.
સામે પક્ષે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ તલાસી રહી છે 1947 પછી 19 જેટલી ચૂંટણી યોજાઈ છે જેમાં 11 વખત કોંગ્રેસ સરકારનો ભાગ રહી છે પીડીપી અને નેશનલ કોન્ફરન્સ સાથે મળીને મહત્વની સરકારો બનાવી છે સરકારો બનાવતી વખતે તેમણે ભાગીદારી કરી છે અને જમ્મુ કાશ્મીરના વિકાસ અને વિનાશના કારણો પણ કોંગ્રેસ પીડીપી અને નેશનલ કોન્ફરન્સ સારી રીતે જાણે છે. ઇન્ડિયા ગઠ બંધન કાશ્મીરમાં મહત્વની રીતે લડી રહી છે પોતાના સાથી પક્ષો સાથે મળીને યોજના બનાવી છે એમાં ભારતીય જનતા પાર્ટીને માફ કરવા માટેના વિવિધ સમીકરણો ઊભા કરવામાં આવ્યા છે.