સમગ્ર જિલ્લામાંથી વિવિધ શાળાઓમાં ભણતી આદિવાસી વિદ્યાર્થીનીઓ શાળાએ જઈ શકે એના માટે સાયકલ વિતરણ કરવા માટે નો કાર્યક્રમ યોજાયો છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રના શક્તિ મંત્રી એવા સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે નવસારી જિલ્લાના ધારાસભ્યો અને એલ એન જી કંપનીના ડિરેક્ટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
નવસારી જિલ્લા કલેકટર ડીડીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર જિલ્લામાંથી વિવિધ શાળાઓમાં ભણતી આદિવાસી વિદ્યાર્થીઓને કાર્યક્રમ આપવામાં આવી હતી અને સાયકલ વિતરણ કરવામાં આવી છે.
આદિવાસી બાળાઓનો ડ્રોપ આઉટ રેસીયો ઘટાડવા માટે સાયકલ વિતરણ…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા. ત્યારે ગ્રામ્ય વિસ્તારની બાળાઓને શાળાએ જવા માટે સાયકલો વિતરણનો પ્રોજેક્ટ કર્યો હતો. એ પ્રોજેક્ટને આગળ વધારવા માટે સી આર પાટીલે પણ ભગીરથ કાર્યરી શરૂઆત કરી છે જેમાં એલ એન જી કંપની ના સી એસ આર ફંડ માંથી સાયકલ વિતરણ નું કાર્યક્રમ આવ્યો જેમાંથી શિક્ષણને વ્યાપ મળી શકે અને વેગ મળી શકે તેઓ શુભ આશય છે. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ ઘણી ઘણી આગળ આવી શકે તેના માટેનું મહત્વનો પ્રયોગ તમે મારી રહ્યો છે હજુ પણ વધુ વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
મહત્વના મુદ્દાઓ..
- વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આદિવાસી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની શરૂઆત કરી હતી જેને હું આગળ વધારવા માંગુ છું જેનાથી ટોપ રેસીઓ જેનાથી ડ્રોપ આઉટ રેસીયો ઓછો કરી શકાય.
- ગુજરાતમાં સૌથી વધુ બ્લડ ડોનેશન કેમ્પો થાય છે ગુજરાત માટે ગૌરવની વાત છે અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાએ કરી બતાવ્યું છે..
- બાળકો કુપોષિત હોય એ સમાજ માટે કલંક કહેવાય ભારતીય જનતા પાર્ટી એ પોતાના સહયોગીઓ સાથે મળીને 3 લાખ બાળકોને કુપોષણ માંથી મુક્ત કરાવ્યા છે એ પણ ગર્વની વાત છે.
- દક્ષિણ ગુજરાતમાં આટલો બધો વરસાદ પડતો હોવા છતાં પીવાના પાણીની સમસ્યા એ દુઃખદ વાત છે. પાણીના સંગ્રહ માટે કેન્દ્ર સરકારે મોટો પ્રોજેક્ટ હાથ ભરવા તરફ આગળ વધી રહી છે. પાણીનો વ્યય ન થાય એના માટેના દીકરીઓને સંકલ્પ લેવડાવ્યા હતા.