નવસારીમાં 2024 ના ચોમાસા દરમ્યાન 4 વાર પૂર ની સ્થિતિ સર્જાઇ ત્યારે હવે લોકો વિચારી એ રહ્યા છે કે વારંવાર આવતા આ પૂરનો આખરે કોઈક તો ઉકેલ હશે.
વિરાવળ ટાઇડલ ડેમ શહેર માટે જોખમી ?
બીલીમોરા શહેરમાં થી પસાર થતી અંબિકા અને કાવેરી નદીના મિલન સ્થળે ટાઈડલ ડેમ બનાવવામાં આવ્યો છે . વાઘરેચ ટાઈટલ ડેમના કારણે આજુબાજુના બનાવેલા પાળા માંથી પાણી બીલીમોરા શહેરમાં આવી જાય છે. જેના કારણે બીલીમોરા શહેરના દક્ષિણ વિસ્તારમાં પાણી ભરવાની શરૂઆત થાય છે, અને ઓસરતા પણ વાર લાગે છે.
ગણદેવી તાલુકાના લોકો માટે બનાવવામાં આવેલો વાઘરેજ તેમ દર વર્ષે પૂરના પાણીને શહેરમાં ધકેલે છે એવી જ સ્થિતિ નવસારીમાં ન થાય તો નવાઈ નહીં. કારણ કે પૂર્ણાના પુર 23 ફૂટ ભયજનક સપાટી વટાવ્યા બાદ નવસારી સેના અલગ અલગ વિસ્તારોમાં પ્રવેશતા હોય છે તેવા સમયે જો પાણી વધુ અવરોધશે તો નવસારી શહેરમાં પાણી વધુ ભરાશે.
પૂર્ણાને પાળા રોકી શકશે ??
23 ફૂટ ભયજનક સપાટી ધરાવતી પૂર્ણા નદી પોતાના ભયજનક સપાટી પર પહોંચ્યા બાદ નવસારી શહેરને ધમરોડવાનું શરૂ કરે છે. સૌપ્રથમ પાણી ભરાવાની શરૂઆત ભેંસત ખાડા વિસ્તારથી શરૂ થાય છે, અને ત્યારબાદ સમગ્ર નવસારી શહેરમાં પ્રવેશે છે અને નવસારી શહેરના 40% વિસ્તારને ભાનમાં લઈ લે છે. તેવા સમયે બનાવવામાં આવેલા પાળા કેટલા ટક્કર જીલી શકે એમાં પણ માટી પુરાણ વાળા પાળા તો કોઈપણ સંજોગોમાં ટકી શકે તેમ નથી પથ્થરની વોલ બનાવવામાં આવે તો પણ ધોવાઈ જવાની શક્યતાઓ વધુ રહેલી છે.
પૂર રક્ષા સામે એક્શન પ્લાન શું ?
નવસારી શહેરને પૂર્વ થી બચાવવું ખૂબ અઘરું છે કારણ કે ડ્રેજીંગ કરવામાં આવે તો દરિયાના લેવલથી ઊંડું કરવામાં આવે તો પણ પાણી ભરાઈ રહેવાની શક્યતાઓ છે અને અમાસ અને પૂનમની ભરતીઓ તો નવસારી શહેરમાં થી પસાર થતી પૂર્ણા નદીમાં વારંવાર સપાટી વધારી દે છે.
મોટાભાગના પુર અમાસ અને પૂનમની ભરતી ના આજુબાજુના સમયમાં વરસાદ પડે ત્યારે જ આવતા હોય છે તેવા સમયે અમાસ અને પૂનમ નવસારી શહેર માટે ખતરા ની ઘંટી સમાન છે. નવસારી શહેરને પૂર્વ થી બચાવવા માટે પહેલા તો પૂર્ણ નદીના પટને ડ્રેજીંગ કરવામાં આવે અને નીકળેલી માટી બંને તરફ ઉત્તર અને દક્ષિણ બંને તરફ પાળા બનાવવામાં આવે અને એની સાથે પાળા પર પથ્થરની અથવા તો સિમેન્ટની ભરાઈ કરવામાં આવે એ પણ યોગ્ય ઊંચાઈ અને અત્યાર સુધી આવેલા પૂરને ધ્યાનમાં રાખીને ડ્રેનેજ વિભાગ દ્વારા ડિઝાઇન કરવામાં આવે. સાથે આજુબાજુના ગામો કે જ્યાં વારંવાર પાણી આવે છે એ વિસ્તારના લોકોની સલાહ મુજબ ઊંચાઈ અને પહોળાઈ રાખવામાં આવે તો નવસારી શહેરને પૂર્વથી બચાવી શકાય નહીં તો પૂરથી ટેવાઈ જવું પડશે એ વાતમાં નવાઈ નથી.