ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવસારી વિજલપોર શહેરમાં ‘અનુસૂચિત જનજાતિ મોરચા’ના પ્રમુખ તરીકે હિરેનભાઈ જયંતીભાઈ પટેલની નિમણૂંક કરવામાં આવી છે.
આ નિયુક્તિ ભા. જ. પા. નવસારી જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા સંગઠન પ્રભારી તેમજ પ્રદેશ મંત્રી શ્રી શંકરભાઈ આમલીયાર, ધારાસભ્ય શ્રી આર. સી. પટેલ અને ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ સાથે ચર્ચા-વિચારણા બાદ કરવામાં આવી છે.
હિરેન પટેલ પાર્ટીના સક્રિય અને સમર્પિત કાર્યકર તરીકે જાણીતા છે. તેમની નેતૃત્વ ક્ષમતા અને સંગઠન પ્રત્યેની લાગણીને ધ્યાનમાં રાખીને તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
આ નિમણૂંકથી નવસારી વિજલપોર શહેરમાં ભાજપના અનુસૂચિત જનજાતિ મોરચાને વધુ મજબૂતી મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ, નવા હોદ્દેદારોને અભિનંદન સાથે પાર્ટીના વિસ્તરણ અને મજબૂતી માટે સક્રિય યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે.
