કરાખત પરુજણ, માંગરોળ, પરસોલી, ભીનાર, ભાઠા, ટુંડા મગોબ, નિમળાઈ, દાંતી, ઉભરાટ, દીપલા, વાંસી, બોરસી, માછીવાડ, સીમળગામ અને દેલવાડા ગામોમાં તળાવો મત્સ્ય ઉછેર માટે ફાળવાયા હોવાનો મુદ્દો ગરમાયો છે. પંચાયતની પરવાનગી વગર મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા ફાળવાયેલા તળાવો અંગે ગ્રામજનો અને સરપંચોએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે.
સંબંધિત ગામોમાં પીવાના પાણીની ગંભીર તંગી છે. સરકારે આ ગામોને “No Source Village” જાહેર કર્યા છે, છતાં પંચાયતની મંજૂરી વિના મત્સ્ય ઉછેર ફાળવવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતો દ્વારા પોતાના ખર્ચે બોર બનાવવામાં આવ્યા હતા અને તળાવોમાં મીઠા પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. પરંતુ, મત્સ્ય ઉછેરથી પાણી દૂષિત થવાની ભીતિ છે, જે ગ્રામજનોના આરોગ્ય માટે હાનિકારક બની શકે છે.
ગ્રામજનોના આક્ષેપ:
1️⃣ પંચાયતની પરવાનગી વગર મત્સ્ય ઉછેર ફાળવાયો.
2️⃣ તળાવો ગ્રામજનો માટે પીવાના પાણીનો સ્ત્રોત છે, તેને અનધિકૃત રીતે ફાળવવામાં આવ્યા.
3️⃣ ઉનાળામાં પાણીનો ગંભીર અભાવ થાય છે, મત્સ્ય ઉછેરથી સ્થિતિ વધુ વિકટ બનશે.
ગ્રામજનોની માગ:
✔️ તત્કાલ ફાળવણી રદ કરવામાં આવે.
✔️ તળાવો પંચાયત હસ્તક પરત આપવામાં આવે.
✔️ ભવિષ્યમાં ગ્રામ પંચાયતની મંજૂરી ફરજિયાત બનાવાય.