નવસારી શહેરના મોટાભાગના લોકો હીરા ઉદ્યોગ પર પોતાનું જીવન ગુજારે છે. કહેવાય છે કે દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ નવસારીથી હીરા ઉદ્યોગની શરૂઆત થઈ હતી. જેમાં ખાસ કરીને પોલીસ અને કટીંગની શરૂઆત કરવામાં આવી હતી. ધીરે ધીરે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ હીરા ઉદ્યોગ સુરત તરફ પ્રસરતો ગયો.
નવસારીના લોકો ભૂતકાળ ન ભૂલે તે માટે આ ઓળખને છતી રાખવા માટે લગભગ 15 વર્ષ પહેલા ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન દ્વારા નવસારીના સ્ટેશન વિસ્તારમાં એક હીરાનું સ્મારક ઊભું કરવામાં આવ્યું હતું. આ હીરાનું સ્મારકએ પ્રકારનું હતું કે નવસારીમાં શરૂ થયેલા હીરા ઉદ્યોગની પ્રતીતિ લોકોને કરાવે.
તો હાલ સ્થિતિ એવી થઈ છે કે આ હીરાના સ્મારકનું જમીનદોસ્ત થયો છે. એટલે કે એમ કહી શકાય કે નવસારીની આબરૂ ધૂળમાં પડી છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ ડાયમંડ સર્કલને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
પાલિકાએ તેની જાળવણીમાં પોતીકું વલણ રાખ્યું ન હતું
દરેક શહેરની કોઈક ને કોઈક એવી ઓળખ હોય છે કે જે લોકોમાં તેની છાપ છોડી જાય છે. નવસારીની ઓળખ ક્ષતિ કરવા માટે જે બનાવવામાં આવેલું ડાયમંડ સર્કલ જે નવસારી શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા સર્કલ ઉપર બનાવવામાં આવ્યું હતું. પરંતુ પાલિકાએ ઉદાસીનતા ભર્યું વલણ દાખવતા આ સમગ્ર સર્કલ અસામાજિક તત્વોનો અડો બની ગયો હતો જે બાદ પાલિકાએ તેની જાળવણીમાં પોતીકું વલણ રાખ્યું ન હતું. ધીરે ધીરે સમય વીતતો ગયો તેમ તેમ અસામાજિક તત્વો આ સર્કલની આસપાસ પોતાની મનમાની ચલાવતા ગયા અને આ સર્કલને નુકસાન પહોંચાડતા ગયા અને અંતે આ ડાયમંડ સર્કલ તૂટીને જમીન દોસ્ત થયું હતું. આ સમગ્ર બાબતે પોલીસનું પણ પાલિકા દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ કાર્યવાહી ન થઈ હોવાની પણ વાતો ઉલ્લેખાઈ રહી છે.
નવાઈની વાત તો એ છે કે નવસારી વિજલપુર પાલિકાના પ્રમુખ તો આ વાતથી અજાણ જ હતા. જોકે મીડિયા દ્વારા કરવામાં આવેલા કોલ બાદ તેમણે કહ્યું કે હવે હું આ બાબતે સંબંધિત વિભાગને જાણ કરી દઉં છું. કારણ કે મને આ સર્કલની ખરાબ સ્થિતિને લઈને કોઈ જ માહિતી નથી.
શાસકો અને સત્તાધીશોની સાચવણીનો અભાવ
કોઈપણ શહેરની ધરોહરને સાચવવી એ જે તે વિસ્તારની નગરપાલિકાનું કામ છે. પરંતુ નગરપાલિકાના શાસકો અને સત્તાધીશો આ બાબત તે સાચવણી માટે ઊંડા ઊતર્યા ન હોવાને કારણે અનેક મિલકતો જમીન દોસ્ત થઈ છે. આ સમગ્ર બાબતો પાછળ જવાબદાર કોણ તેને નવસારીના શહેરીજનો શોધી રહ્યા છે.