સરકારી વિભાગની આબરૂના ધજાગરા ઉડાવતા હોય છે. નવસારી જિલ્લામાં કોંગ્રેસ ચીથરેહાલ હાલતમાં આવી ગઈ છે, અને પોતાનું અસ્તિત્વ તલાસી રહી છે. એમાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દક્ષિણ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા હતા નવસારી જિલ્લા સહિત વલસાડ અને નવસારી જિલ્લાના કાર્યકરો માટે જનમંચ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં લોકોની સમસ્યાઓ સાંભળી હતી.
જનમંચ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ગ્રામ પંચાયતથી માંડીને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કલેકટર ઓફિસ જમીન, વીજળી, પાણી અને તમામ વિભાગોને લગતા પ્રશ્નો બાબતે લોકો પાસે પ્રશ્નો જાણી રહી છે, અને જરૂર પડે મદદ કરવા માટેની તત્પરતા દાખવી રહી છે. એ બહાને પોતાનું અસ્તિત્વ ફરીથી ઊભું કરવા માટેનો પ્રયાસ શરૂ કર્યો છે.
નવસારીના બીલીમોરા શહેરમાં પાંચાલ સમાજની વાડીમાં જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નવસારી શહેરના લોકો પોતાની સમસ્યા લઈને આવ્યા હતા. જેમાં મોટાભાગની સમસ્યાઓ જમીન વિવાદ ને લગતી પોલીસ વિભાગને લગતી અને સામાન્ય પાણી પુરવઠા જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ નગરપાલિકા દ્વારા ઉપલબ્ધ ન કરાવતી હોવાની અને જમીન અને પોલીસ વિભાગને લગતા કામો ન થતા હોવાની ફરિયાદો આવી હતી.
25 જેટલી ફરિયાદો મળી હતી જેમાં કાર્યકર્તાઓ તમામ ફરિયાદોનું વહેલી તકે નિરાકરણ આવે તેવા પ્રયાસો કરશે એવી બાહેધારી આપી હતી જ્યારે અમિત ચાવડા પણ નજીકના સમયમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ આવે તેના માટે કેસ સ્ટડી કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.
નગરપાલિકા સામે એક કોથળો ભરીને શહેરના એક નાગરિકે કરી ફરિયાદ.
અમિત ચાવડા અને ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં નવસારી જિલ્લાના અગ્ર ગણ્યા કોંગ્રેસી સભ્યો હાજર રહ્યા હતા. તમામ રજૂઆતોમાં એક કોથળો ભરીને આરટીઆઈ અને તેને લગતા કાગળિયાઓ લઈને રજૂઆત કરવા આવેલા કમલેશભાઈ બારોટ સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા નવસારી નગરપાલિકા વિસ્તારમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે તેમણે આરોપ કરતા એક થેલો ભરીને આર.ટી.આઈ ભેગી કરી છે અને એનું કોઈ પણ નિરાકરણ ન આવતું હોવાની રાવ અમિતભાઈ ચાવડા સામે કરી હતી. સાથે ભ્રષ્ટાચારમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને વહીવટી તંત્ર સાથે મળીને કામગીરી કરી રહ્યો અને ભ્રષ્ટાચાર આખરી રહ્યા હોવાના ગંભીર આરોપો કર્યા હતા.
વીજ કંપનીના કર્મચારીઓનો પગાર ન મળતા રજૂઆત કર્યાના આઠ કલાકમાં પગાર મળી ગયો.
અમિતભાઈ ચાવડા ગત રોજ વલસાડ જિલ્લામાં જનમંચ કાર્યક્રમમાં પહોંચ્યા હતા તે દરમિયાન અમિતભાઈ ચાવડાને રજૂઆત કરવામાં આવી હતી કે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કેટલાક વિભાગોમાં કામ કરતા લોકોની સમસ્યાઓનું નિવરાકરણ આવ્યું નથી અને નવ મહિનાથી પગાર ન મળ્યો હોવાની રજૂઆત કરી હતી અમિતભાઈ ચાવડાની મધ્યસ્થીતી માત્ર 8 કલાકના સમય ગાળામાં ત્રણ મહિનાનો પગાર મળી જતા યુવાનોમાં ખુશીનું મોજું ફરી વળ્યો હતો અને અમિતભાઈ ચાવડાનું આભાર માનીને સ્વાગત કર્યું હતું.
અમિત ચાવડાએ પણ પોતાના વક્તવ્યમાં ભાજપ પર અને વહીવટી તંત્ર પર આકરા સરસંધાનો કર્યા હતા.
નવસારી જિલ્લાના પ્રવાસે આવેલા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ પોતાના વક્તવ્યમાં લોકોની સમસ્યા વધી રહી છે અને તંત્ર સાંભળતું નથી ભારતીય જનતા પાર્ટી અને વહીવટી તંત્રના અધિકારીઓના મેળાપી પાળવામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના ગંભીર આરોપો કર્યા હતા.
નવસારી જિલ્લામાં કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ તલાસી રહી છે…
નવસારી જિલ્લાની જલાલપુર નવસારી ગણદેવી અને વાસદા એમ ચાર વિધાનસભા બેઠકો છે જેમાં માત્ર વાસદા વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ મજબૂતાઈથી ટક્કર આપી રહી છે અને અનંત પટેલ જેવા લડાયક નેતા ધારાસભ્ય તરીકે જીતીને વિધાનસભામાં બિરાજે છે અને નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે હાલના તબક્કે વાંસદા સિવાય નવસારીના તમામ તાલુકાઓમાં ભારતીય જનતા પાર્ટી મજબૂતાઈથી આગળ વધી રહી છે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ મન મોટાવ અને આંતરિક વિવાદો સપાટી પર છે. તેવા સમયે ભારતીય જનતા પાર્ટીને માંત કરવા માટે અને પોતે મજબૂત થવા માટે કોંગ્રેસ સમગ્ર જિલ્લામાં પ્રયાસ કરી રહી છે.
નવસારી જિલ્લા કોંગ્રેસમાં હજુ સંપૂર્ણ માળખાની કમી…
નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી જિલ્લાની તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પર પોતાનું રાજ કરે છે વાંચતા તાલુકામાં વિધાનસભામાં કોંગ્રેસ જીતીને આગળ આવે છે પરંતુ સંગઠનની તાકાત જીત સુધી દોરી જતી હોય છે પરંતુ એ માળખું ન હોવાના કારણે કોંગ્રેસને મોટું નુકસાન થઈ રહ્યું છે નવસારી જિલ્લામાં કોંગ્રેસ પાસે હજુ પણ પૂરતું તમામ મોરચાઓથી માંડીને સંગઠનનું પૂર્ણ માળખું ન હોવાના કારણે નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે.
નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી નજીકના ભવિષ્યમાં આવશે…
નવસારીને મહાનગરપાલિકા નું માળખું મળી ગયું છે પરંતુ હજુ પરિપત્ર આવવાનો બાકી છે અને તમામ પ્રક્રિયાઓ સીમાંકનથી માંડીને જરૂરી ચૂંટણીની કાર્યવાહીઓ પૂર્ણ થયા બાદ ચૂંટણી યોજવામાં આવશે જેમાં મહાનગરપાલિકાની ચૂંટણી થાય તો તેના માટે કોંગ્રેસ પાસે અત્યારે મજબૂત માળખું નથી. નવસારી શહેરમાં હજુ પણ અન્ય મોરચાઓની રચના કરવાની બાકી છે જે નજીકના ભવિષ્યમાં કરવામાં આવે તો કોંગ્રેસ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી શકે તેમ છે.