દિવાળી પર્વ બાદ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો પુરવા માટે કાર્યક્રમ યોજી રહી છે. જેમાં નવસારી જિલ્લાની વાંસદા વિધાનસભા બેઠકના કાર્યકરોનો સ્નેહમિલન સમારંભ યોજવામાં આવ્યો હતો. મિલન કાર્યક્રમ દરમિયાન વાંસદા વિધાનસભા કોઈપણ ભોગે જીતવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જેમાં વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે આદિવાસી નેતા ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા.
વાંસદા વિધાનસભાએ પરંપરાગત કોંગ્રેસની વિધાનસભા તરીકે ઓળખાતી આવી છે. છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી જીતવા માટે પ્રયત્ન કરી રહી છે પરંતુ અત્યાર સુધી જીતી શકતી નથી. વાંસદા વિધાનસભા જીતવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાઓમાં પ્રાણ પુરવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
જેમાં વાંસદા તાલુકાના કાવડેજ ગામે વાંસદા વિધાનસભાના કાર્યકર્તાઓનું સ્નેહમિલન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વાંસદા વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે ચૈત્ર વસાવા ની અલગ ભીલ પ્રદેશની માંગને પગલે વિરોધ નોંધાવ્યો છે અને વિભાજનકરી માનસિકતા ધરાવતા હોવાનો આરોપ કર્યો છે.
વાંસદા વિધાનસભા કોઈપણ ભોગે જીતવાનું નિર્ધાર કર્યો…
વાંસદા વિધાનસભા જીતવા માટે ભારતીય જનતા પાર્ટી ઘણા સમયથી મથામણ કરી રહી છે પરંતુ જીતી શકતી નથી. અનંત પટેલ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર માળખું કામે લાગ્યું છે. જેમાં ધવલ પટેલે સ્નેહમિલન સંમેલન કાર્યક્રમમાં કાર્યકર્તાઓને હાકલ કરી છે અને કોઈપણ ભોગે જીતવા માટેનું માળખું તૈયાર કરવા માટે અપીલ કરી છે.
સ્નેહમિલન કાર્યક્રમમાં રમુજ સર્જાયો
રાજકારણમાં આચાર સંહિતા અને પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી બની જતું હોય છે. એમાં રાજકારણમાં પારંગત લોકોની જરૂર પડતી હોય છે તદુપરાંત રાજકારણના સિનિયર નેતાઓની જરૂર પડતી હોય છે. કાવડેજ ગામે યોજાયેલી સ્નેહમિલન સમારંભની કામગીરીમાં પ્રોટોકોલનું ઘર અપમાન થયાની સ્થિતિ નિર્માણ થઈ હતી. એમાં ખેરગામ તાલુકાના આદિજાતિ મોરચાના મહામંત્રીનું સ્વાગત જિલ્લા આદિવાસી મોરચાના મહામંત્રી પાસે કરાવ્યું હતું. રાજકારણમાં આવ્યા આચારસંહિતાઓ કેટલીક વાર પક્ષને નુકસાન પણ કરતી હોય છે અને આપવાની થવાનો પણ વારો આવતો હોય છે.
વલસાડના સાંસદ ધવલ પટેલનું મિશન 2017 વાંસદા વિધાનસભા..
વલસાડ લોકસભા બેઠક પર અનંત પટેલને હરાવ્યા બાદ ધવલ પટેલના સિતારા બુલંદ છે અને તેમણે મિશન વાંસદા અભિયાન શરૂ કર્યું છે. એમાં ખાસ કરીને વાંસદા મતવિસ્તારમાં આવતા ચીખલી અને વાંસદા તાલુકાના ગામોમાં પ્રવાસો શરૂ કર્યા છે અને કાર્યકર્તાઓને સાથે જોડીને વાંસદા વિધાનસભા કેવી રીતે જીતી શકાય તેના માટેના પ્રયાસો શરૂ કર્યા છે. લોકોને પડતી અગવડતાઓ સમસ્યાઓ અને પડતર કામોને વહેલી તકે પૂર્ણ કરવા માટે કામગીરી શરૂ કરી છે અને કોઈપણ ભોગે વાંસદા વિધાનસભા જીતવા માટેનું અભિયાન ઉપાડ્યું છે. જેમાં કાર્યકર્તાઓને વિકાસની કે અટકી પડેલા કોઈ પણ કામની જરૂર પડે મદદ કરવા માટેની બાંહેધરી આપવામાં આવી રહી છે.
રંગપુર ગામે ખાનગી સંસ્થા દ્વારા બનાવેલી સ્કૂલની શક્તિને લઈને રાજકારણ ગરમાયું…
વાંસદા તાલુકાના રંગપુર ગામે આધુનિક શાળા બનાવવા માટે અમેરિકાની સંસ્થા દ્વારા ₹8,00,000 જેટલી માતબર રકમ દાન પેટે મળી છે અને સ્કૂલના આધુનિક બનાવવામાં આવી છે. રંગપુર શાળાએ રાષ્ટ્રીય કક્ષાએ પોતાનો અવાજ બુલંદ કર્યો છે અને ભૂલકાઓની શિક્ષણ પદ્ધતિમાં સુધારો વધારો થયો છે અને જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણનું સ્તર સુધર્યું છે.
ગામમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની શાળા ખાનગી સંસ્થાએ લાખ રૂપિયા દાન કર્યું છે. તેમનું બેનર લાગવું જોઈએ કે નહીં તેને લઈને સ્થાનિક સરપંચ અને સ્થાનિક લોકો વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિચારે કે મતભેદો ચાલી રહ્યા છે. જેમાં નિર્ણયનો દડો જિલ્લા વિકાસ અધિકારીના આંગણામાં આવીને પડ્યો છે. જિલ્લા સંકલનની બેઠકમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના બોર્ડ પર ખાનગી સંસ્થાનું નામ કાઢવા માટેના આદેશ ડીડીઓ દ્વારા કરી દેવામાં આવ્યા છે. જેને રાજકારણ વધુ ગરમાયું છે.
રંગપુરના રાજીનામાં આપનાર ૪૦ લોકોને ધવલ પટેલે મનાવી લીધા
કાવડે જ ગામે સ્નેહમિલન સમારંભમાં ધવલ પટેલે રંગપુર ગામે થયેલા વિવાદ મુદ્દે ચાલીસ લોકોના રાજીનામાં મુદ્દે લોકો સાથે બેઠક યોજીને મનાવી લીધા છે સાથે મિલન સમારંભમાં જાતે પીરસવા માટે ઊભા રહી ગયા હતા અને લોકોને ભાવથી જમાડ્યા હતા. મહેનત કરીને વાંસદા લોકસભા જીતવા માટે તૈયારી કરો એવી રમૂજ પણ કરી હતી.