- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ
નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર છે કે નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (NDCA)ના આયોજન હેઠળ ‘નવસારી પ્રીમિયર લીગ’ (NPL)ની ચોથી સીઝન ભવ્ય રીતે યોજાવાની છે. આ વખતે ટુર્નામેન્ટમાં અનેક નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે, જે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ વધારી રહ્યા છે. આ સીઝન 21મી એપ્રિલથી શરૂ થશે અને તમામ મેચો નવસારીની ઐતિહાસિક ગાંધી કોલેજના મેદાનમાં રમાશે. ખાસ વાત એ છે કે આ વખતે પ્રથમ વખત ડે-નાઈટ મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લડ લાઈટ્સ હેઠળ રમાનાર આ મેચો ખેલાડીઓ અને દર્શકો બંને માટે અનોખો અનુભવ સાબિત થશે. ટુર્નામેન્ટના સફળ સંચાલન માટે રાજેશ…
નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ બીજા વર્ષનું બજેટ આજે ટાઉન હોલ ખાતે યોજાયેલી વિશેષ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું. વર્ષ 2026-27 માટે ₹1286 કરોડનું આ ભવ્ય બજેટ જાહેર કરાયું છે. ગત વર્ષના ₹847 કરોડના બજેટની સરખામણીએ આ વખતે નોંધપાત્ર વધારો થયો છે. ખાસ વાત એ છે કે આ બજેટમાં શહેરના નાગરિકો પર કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી, જેના કારણે સામાન્ય જનતાને મોટી રાહત મળી છે. આ બજેટમાં ‘ગ્રીન નવસારી’ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ઈલેક્ટ્રિક વાહનો (E-Vehicles) પર કોઈ ટેક્સ નહીં લગાડવાની જાહેરાત કરવામાં આવી છે, જે પર્યાવરણને અનુકૂળ પરિવહનને પ્રોત્સાહન આપશે. સાથે જ રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ અને…
નવસારી શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું દુઃખદ મૃત્યુ થયું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. મળતી માહિતી અનુસાર, નવસારી કૃષિ યુનિવર્સિટી સામે આવેલા સરગમ એપાર્ટમેન્ટ નજીક આ દુર્ઘટના બની હતી. મૃતક યુવતીનું નામ આયુષી દીપકભાઈ નાયકા (ઉંમર 16 વર્ષ) હોવાનું સામે આવ્યું છે. આયુષી રાત્રિના સમયે પોતાના ઘરેથી નજીકની દુકાને નાસ્તો લેવા માટે નીકળી હતી. તે દરમિયાન રસ્તામાં આવેલા વીજ થાંભલામાંથી અચાનક કરંટ ઉતરતા તે તેની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સની મદદથી યુવતીને હોસ્પિટલમાં…
નવસારી જિલ્લાના જલાલપોર અને નવસારી તાલુકામાં ભાજપ સંગઠનને લઈને ઊભેલા અસંતોષ વચ્ચે મહત્વપૂર્ણ રાજકીય વળાંક આવ્યો છે. જિલ્લા અને તાલુકા સ્તરના કુલ 58 જેટલા કાર્યકર્તાઓએ અન્યાયની લાગણી વ્યક્ત કરી રાજીનામા આપ્યા હતા. તેમાંમાંથી 25 કાર્યકર્તાઓએ પોતાના રાજીનામા પરત ખેંચ્યા છે, જ્યારે 35 હોદ્દેદારોના રાજીનામા પ્રદેશ સંગઠનની સૂચનાથી સત્તાવાર રીતે સ્વીકારી લેવામાં આવ્યા છે. માહિતી મુજબ, જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ સાથે અન્યાય થયો હોવાની લાગણી વ્યક્ત કરતા તેમના સમર્થક તરીકે ઓળખાતા કેટલાક હોદ્દેદારોએ સંગઠનમાંથી રાજીનામા આપ્યા હતા. છેલ્લા પંદર દિવસથી આ મુદ્દે ચર્ચા અને અંદરની સ્તરે ચર્ચાઓ ચાલી રહી હતી. અંતે પ્રદેશ સ્તરે નિર્ણય લઈ રાજીનામા સ્વીકારવામાં આવ્યા છે. ભારતીય જનતા…
નવસારી શહેરના નાગ તલાવડી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસને અજાણ્યા ઇસમો દ્વારા ઇ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. ધમકી મળતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસ તંત્ર તરત જ સક્રિય બન્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પોસ્ટ ઓફિસના પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી. સુરક્ષાના પગલે પોસ્ટ ઓફિસને તરત ખાલી કરાવવામાં આવી હતી અને આસપાસના વિસ્તારને પણ પોલીસ દ્વારા કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ જરૂરી તકેદારીઓ લેવામાં આવી રહી છે. ધમકીની જાણ થતા…
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામે આજે વહેલી સવારે એક દિપડો પાંજરે પુરાયો હતો. અમલસાડ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી અવારનવાર દિપડો દેખાવાની ઘટનાઓ સામે આવી રહી હતી, જેના કારણે ગ્રામજનોએ ભયની લાગણી અનુભવવી પડી રહી હતી. આ બાબતે ગણદેવી સામાજિક વનીકરણ વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ મળતાં વનવિભાગ દ્વારા દિપડાને પકડવા માટે મધ તળાવ નજીક ભીખુ ભાઈ આહિરના ખેતરમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે અંદાજે ચાર વર્ષનો, કદાવર દિપડો પાંજરામાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ગણદેવી સામાજિક વનીકરણ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને વનવિભાગે દિપડાનો કબજો લીધો હતો. વનવિભાગ દ્વારા પકડાયેલા દિપડાની…
ઇન્સ્ટાગ્રામ પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અશ્લીલ ગાળો અને અશ્લીલ હરકતો દર્શાવતી રિલ્સ બનાવનાર લોકો સામે નવસારી સાયબર ક્રાઇમ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર વધતી અસંસ્કારી સામગ્રીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સાયબર ક્રાઇમ પોલીસના સોશિયલ મીડિયા મોનિટરિંગ દરમિયાન એક ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. પરથી અશ્લીલ રિલ્સ વાયરલ થતી હોવાનો ખુલાસો થયો હતો. આ આઈ.ડી. પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ હોવા છતાં જાહેર શિસ્ત અને સામાજિક મૂલ્યોને ભંગ કરતી સામગ્રી નિયમિત રીતે અપલોડ કરવામાં આવતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ રિલ્સ સમાજ પર નકારાત્મક અસર કરે તેવી હતી. જેના આધારે નવસારી…
નવસારી જિલ્લા ભાજપમાં સંગઠનાત્મક ફેરફારો સાથે નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીના સંગઠનને વધુ મજબૂત અને સંતુલિત બનાવવા માટે જિલ્લાનું નવું માળખું જાહેર કરાયું છે, જેમાં અનુભવ અને યુવાનીનો સમન્વય જોવા મળે છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય વર્ણીઓને લઈને ચર્ચા ચાલી રહી હતી. પ્રદેશ સંગઠન માળખું જાહેર થયા બાદ હવે ધીમે ધીમે જિલ્લાકક્ષાનું સંગઠન માળખું જાહેર કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાત બાદ હવે અંતે નવસારી જિલ્લાનું પણ સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકીય દાવપેચ ખેલવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાં તાલુકાવાર પ્રતિનિધિત્વ, જાતીય અને સામાજિક સમીકરણો…
નવસારીના શહેરી જનોના જણાવ્યા અનુસાર નવસારીના ઇટાળવા થી તીઘરા વિસ્તારમાં રાત્રી દરમ્યાન અનેક બેફામ કાર ચાલકો દોટ મુકતા હોય છે સ્થાનિકો દ્વારા જયારે તેમને સમજાવવામાં આવે છે ત્યારે આ નબીરાઓ ઉતરીને મારવાની ધમકીઓ આપતા હોય છે. જોકે આવા નબીરાઓ પર નેત્રમ કેમેરા દ્વારા પોલીસ કડક કાર્યવાહી કરી મેમો મોકલશે કે કેમ તે પ્રશ્નાર્થ છે…. બીજી તરફ નવસારી શહેરમાં લગ્ન પ્રસંગ દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સુશ્રુષા હોસ્પિટલ નજીક યોજાયેલા લગ્નના ગરબા કાર્યક્રમમાં અચાનક એક કાળમુખી કાર ઘુસી જતા ખુશીના માહોલમાં અફરાતફરી મચી ગઈ. બેફામ ગતિએ આવતી આ કારએ ગરબા રમતા લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત…
નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ” નામક નવતર યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કુલ ૧૫૧ યોગપ્રેમીઓ અને મહાનગરપાલિકા ના સફાઈ યોધ્ધાઓએ ભાગ લીધો. કાર્યક્રમનો મુખ્ય હેતુ કુદરતી વાતાવરણ અને સુંદર ફૂલોની સુગંધના માધ્યમથી વધુ ઓક્સિજન પ્રાપ્ત કરવાનો હતો. હાજર તમામ લોકોને યોગ અને પ્રાણાયામ દ્વારા સ્વાસ્થ્યને મજબૂત રાખવા માટે જોડાવાની વિનંતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કો-ઓર્ડિનેટર શ્રીમતી ગાયત્રી બેન તલાટી અને યોગ કોચ/ટ્રેનર દ્વારા સંચાલિત કરવામાં આવ્યો. પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રનો આભાર માનવામાં આવ્યો.