- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ” નામક નવતર યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કુલ ૧૫૧ યોગપ્રેમીઓ અને મહાનગરપાલિકા ના સફાઈ યોધ્ધાઓએ ભાગ લીધો. કાર્યક્રમનો મુખ્ય હેતુ કુદરતી વાતાવરણ અને સુંદર ફૂલોની સુગંધના માધ્યમથી વધુ ઓક્સિજન પ્રાપ્ત કરવાનો હતો. હાજર તમામ લોકોને યોગ અને પ્રાણાયામ દ્વારા સ્વાસ્થ્યને મજબૂત રાખવા માટે જોડાવાની વિનંતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કો-ઓર્ડિનેટર શ્રીમતી ગાયત્રી બેન તલાટી અને યોગ કોચ/ટ્રેનર દ્વારા સંચાલિત કરવામાં આવ્યો. પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રનો આભાર માનવામાં આવ્યો.
નવસારીમાંથી પકડાયેલા આતંકી ફૈઝાન શેખે ઇસ્લામ પર બોલતા લોકોની હત્યા માટે યાદી તૈયાર કરી હતી. આ ખૂની ખેલ રમાય એ પહેલા જ ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી તેને ઝડપી લીધો છે. આતંકવાદ આજે સમગ્ર દુનિયા માટે સૌથી મોટો ખતરો બની ગયો છે અને આવા આતંકી આકાઓ પોતાના કાવતરાંને આગળ વધારવા માટે યુવાનોનું બ્રેનવોશ કરીને તેમને આતંકી પ્રવૃત્તિઓ તરફ ધકેલી રહ્યા છે. સોશિયલ મીડિયાથી બ્રેનવોશ, ખતરનાક માનસિકતાનો ખુલાસો નવસારીના ઝારાવાડ વિસ્તારમાંથી ધરપકડ કરાયેલા ફૈઝાન શેખ પાસેથી એક પિસ્તોલ અને ઉર્દુ તથા અરબી ભાષામાં લખાયેલું 29 પાનાનું સાહિત્ય ATSએ જપ્ત કર્યું છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી તેની કોમેન્ટ્સ અને ડિજિટલ પ્રવૃત્તિઓ…
નવસારી મહાનગરપાલિકા (NMC) અને સંસ્કાર ભારતી શાળા વચ્ચે હાલ એક અનોખો વિવાદ ઉભો થયો છે, જેને “મુતરડી વિવાદ” તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. શાળાના 4,000 વિદ્યાર્થીઓ માટે ટોયલેટ અને સેનિટેશન સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારી દરમિયાન સ્થાનિક ફ્લેટ ધારકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જેના પગલે NMC દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. શું છે વિવાદનો કારણ? સંસ્કાર ભારતી શાળાએ પોતાના ખર્ચે વિદ્યાર્થીઓ માટે ટોયલેટની સુવિધા ઊભી કરવા માટે બાંધકામ શરૂ કર્યું હતું. શાળાની દીવાલને લગતી નજીક ઉભા થયેલા ચાર એપાર્ટમેન્ટના ફ્લેટ ધારકો અને સ્થાનિક નેતા તથા નિવૃત અધિકારી દ્વારા કહ્યું કે મુતરડી બનાવવામાં આવે તો તેમના એપાર્ટમેન્ટમાં ગંદકી ફેલાશે. આ રજૂઆતને…
માતા વૈષ્ણોદેવી એ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનું મહત્વનું આસ્થા નું પ્રતીક છે જ્યાં દેશ દુનિયામાં વસતા હિન્દુઓ આસ્થા પૂર્વક પૂજા અર્ચના અને ચઢાવા માટે આવે છે. માતા વૈષ્ણોદેવી ના દર્શન કરી ધન્યતા અનુભવે છે. એવા માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટીમાં 2025- 26ના વર્ષમાં દરમિયાન મેડિકલ કોલેજની માન્યતા મળી હતી. જેમાં 50 જેટલી બેઠકો નિશ્ચિત કરવામાં આવી હતી. મેડિકલ કોલેજની માન્યતા દરમિયાન નીટ દ્વારા પરીક્ષા પાસ કર્યા બાદ મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવતો હોય છે પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશ એવા જમ્મુ અને કાશ્મીરના ડોમીસાઈલ સર્ટિફિકેટ ધરાવતા 85% વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો એવો રાજ્ય સરકારના નિર્ણયને પગલે 50 માંથી 42 બેઠકો પર મુસ્લિમ છાત્રોને પ્રવેશ…
નવસારી શહેરના આદિવાસી વિસ્તારોમાં તાજેતરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે આદિવાસી લોકોના ઝૂપડા હટાવવામાં આવશે અને કેટલાક લોકોને ઘર તો કેટલાકને અન્ય લાભ આપવામાં આવશે. આ પ્રકારની વાતોને કારણે સ્થાનિક લોકોમાં ગેરસમજ અને ચિંતા ફેલાઈ છે. આ બાબતે ભાજપ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવી તમામ અફવાઓ સંપૂર્ણપણે ખોટી અને આધારવિહોણી છે. જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે હાલમાં જે સર્વે હાથ ધરવામાં આવ્યો છે તે માત્ર જનરલ સર્વે છે અને તેનો કોઈપણ રીતે ઘર હટાવવાની કાર્યવાહી સાથે સંબંધ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે સમગ્ર સ્લમ વિસ્તાર માટે ભવિષ્યમાં પાકા મકાનો ઉપલબ્ધ થાય તે…
નવસારીના ગૌરવમાં એક ઐતિહાસિક સિદ્ધિ નવસારી શહેર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય ફ્લાવર શોએ વૈશ્વિક સ્તરે શહેરનું નામ ઉજાગર કર્યું છે. લુન્સી કુંઈ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ અનોખા આયોજન દ્વારા નવસારી મહાનગરપાલિકાએ Guinness World Records માં પોતાનું નામ નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કમિશનર દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ફ્લાવર શોમાં 8 બાય 40 ફૂટની વિશાળ દિવાલ તૈયાર કરવામાં આવી હતી, જેમાં કુલ 95,280 તાજા ફૂલોનો ઉપયોગ કરીને “નવસારી” નામને આકાર આપવામાં આવ્યો હતો. આ અનોખી કલાત્મક રચનાએ Guinness World Records ના અધિકૃત માપદંડોને પૂર્ણ કરી રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ…
નવસારી શહેરમાં ઉતરાયણ બાદ પણ પતંગના દોરાના કારણે ગળું કપાવાની ઘટનાઓ યથાવત સામે આવી રહી છે. તહેવાર પૂર્ણ થયા બાદ પણ આવા અકસ્માતો અટકવાનું નામ લેતા નથી, જે નાગરિકોની સલામતી માટે ગંભીર ચિંતા ઊભી કરે છે. તાજી ઘટનામાં નવસારી જિલ્લા કલેકટર કચેરીની બહાર બાઈક પર જઈ રહેલા એક યુવકનું ગળું દોરાથી કપાઈ જવાની ઘટના બની હતી. ઘટનાના કારણે માર્ગ પર અચાનક આપત્કાલીન સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં 25 વર્ષીય સાજન કનૈયાભાઈ જોગી બાઈક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક દોરો ગળામાં ફસાતાં ગંભીર ઇજા પહોંચી હતી. આસપાસ હાજર લોકો તરત મદદે દોડી આવ્યા હતા. ગળું કપાઈ જતાં યુવકને તાત્કાલિક…
નવસારી જિલ્લાના ક્રિકેટ પ્રેમીઓ માટે એક રોમાંચક સમાચાર… RC CUP 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. Navsari District Cricket Association દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં જિલ્લાની શ્રેષ્ઠ ટીમો ભાગ લઈ રહી છે અને ક્રિકેટરસિકોને જોવા મળશે સવાર અને સાંજના સત્રોમાં રોમાંચક મુકાબલા. આ માટે ઓક્સન પણ યોજાયું હતું. લીગ મેચો Morning Session | Evening Session 27 જાન્યુઆરી 2026 • સવાર: A1 vs A2 • સાંજ: B1 vs B2 28 જાન્યુઆરી 2026 • સવાર: A4 vs A5 • સાંજ: B4 vs B5 30 જાન્યુઆરી 2026 • સવાર: A2 vs A3 • સાંજ: B2 vs B3 31 જાન્યુઆરી 2026…
નાવસારી જિલ્લાના છાપરા ગામથી મોગર તરફ જતા મુખ્ય માર્ગ પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર યુવાન તેજસ અરવિંદભાઈ પટેલનું મૃત્યુ થયું છે. મૃતક મોગર ગામના ઠાકોર ફળિયામાં રહેતા હતા અને તેમની ઉંમર 28 વર્ષ હતી. પ્રાથમિક માહિતી મુજબ, યુવાન બાઈક પર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અચાનક રખડતા ઢોર સાથે અકસ્માત થયો. ઘટનાબાદ તેમને તાત્કાલિક સારવાર માટે પારસી હોસ્પિટલ, નાવસારી ખાતે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા ડોક્ટરોએ જરૂરી તપાસ કરી હતી અને ત્યારબાદ તેજસ પટેલને મૃત જાહેર કરવામાં આવ્યા. આ બનાવને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ વિભાગ દ્વારા અકસ્માતના કારણોની વધુ તપાસ…
આંતલિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં કાવેરી નદી કિનારે ચાલી રહેલી પ્રવૃત્તિઓએ હવે પર્યાવરણ સંરક્ષણ નહીં, પરંતુ કાયદા અને વ્યવસ્થાની સંપૂર્ણ નિષ્ફળતા ઉજાગર કરી છે. છેલ્લા લાંબા સમયથી નદી કિનારે ખુલ્લેઆમ કચરો એકત્ર કરી તેને સળગાવવામાં આવી રહ્યો છે. ઘાટો કાળો ધુમાડો આકાશમાં ઉડી રહ્યો છે, નદીમાં ઝેર ભળી રહ્યું છે અને લોકોનું આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે — છતાં જિલ્લા પ્રશાસન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને વનવિભાગ મૌન ધારણ કરીને બેઠાં છે. કાયદા છે પણ તેનો અમલ ક્યાં છે? ખુલ્લામાં કચરો સળગાવવો કોઈ સામાન્ય ભૂલ નથી, પરંતુ સ્પષ્ટ રીતે કાયદેસર ગુનો છે. પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, 1986 (Environment Protection Act) હેઠળ…