Author: Atul Rathod

નવસારી શહેરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. ગઈકાલે નવસારીમાં બે નાનકડી બાળકી પૈકી એકનો મૃતદેહ વિરાવળથી અને બીજીનો જલાલપુરમાં મળી આવ્યો હતો. આ બનાવને પગલે શહેરમાં ચકચાર મચી હતી. આજે ફરી એક હચમચાવી મુકનારી ઘટના સામે આવી. બંને બાળકીની માતાનો મૃતદેહ કરાડી ગામ પાસેથી પસાર થતી પૂર્ણા નદીમાંથી મળી આવ્યો હતો. મૃતક મહિલાની ઓળખ 28 વર્ષીય પરણીતા ખેવના હાર્દિક નાયક તરીકે થઈ છે. પરણીતા ખેવના નાયક પોતાની બે દીકરીઓ સાથે 31મી ઓગસ્ટથી ઘરેથી ગુમ થઈ હતી. અગમ્ય કારણસર તેણે બંને દીકરીઓ સાથે પૂર્ણા નદીમાં ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સામૂહિક આપઘાતથી સમગ્ર જિલ્લામાં શોક છવાઈ ગયો છે. https://youtu.be/5Ywx8iUU44s?si=aKmwV1h_Vp0CQOSg…

Read More

બીલીમોરા સ્ટેશન રોડ પર આવેલ લાલ વાવટાની ગલીના એકતા યુવક મંડળ દ્વારા આ વખતે ગણેશ મહોત્સવને સેવા અને માનવતાની મહેકથી વિશેષ પ્રેરણાદાયી બનાવાયો હતો. મંડળે બીલીમોરા એનએમપી બ્લડ બેંક અને ગણદેવી તાલુકા પત્રકાર સંઘના સહયોગથી 239 યુનિટ રક્તદાન યોજી સમાજસેવાનો ઉત્તમ સંદેશ આપ્યો. મુસ્લિમ NRI દાતા એ આપી પ્રોત્સાહન રૂપી ભેટ દરેક ક્ષણે દુનિયામાં અનેક જીવનો મોત સામે ઝઝૂમતા હોય છે, ત્યારે રક્તદાન કોઈક માટે જીવનદાન સમાન બની શકે છે. આ જ ઉમદા હેતુ સાથે મંડળે વર્ષો વર્ષથી એનઆરઆઈ દાતા હાજી નજમાબેન અબ્બાસભાઈ મલેક અને મેકી અબ્બાસભાઈ મલેકના પ્રોત્સાહનથી રક્તદાન શિબિરનું આયોજન ચાલુ રાખ્યું છે. https://youtu.be/cbaTLQnyO4M?si=2vm9N6siH39BmGu9 રવિવારના દિવસે વરસતા વરસાદ…

Read More

નવસારી નજીક આવેલા વિરાવળ વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. નવસારી અને સુરતને જોડતા બ્રિજ ઉપર આ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, ઓવરટેક કરવાના પ્રયત્નમાં પાછળથી આવી રહેલી કારએ આગળ ચાલતી કારને પાછળના ભાગેથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર ફૂટપાથ પર ચડી ગઈ અને ત્યાંથી પસાર થઈ રહેલા સાયકલ ચાલકને અડફેટે લીધો. સાયકલ ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતના કારણે બ્રિજ પર લાંબો સમય સુધી મોટો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિક…

Read More

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં ગણપતિના આગમન દરમિયાન ભયાનક અકસ્માત સર્જાયો હતો. ગામમાં મૂર્તિ લાવવાની મોસાળ ચાલતી હતી એ સમયે લોખંડનો પાઇપ હાઈટેન્શન લાઈનને અડી જતા કરંટ ફાટી નીકળ્યો. આ ઘટનામાં બે યુવાનોના મોત નીપજ્યા છે જ્યારે પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. દાઝેલા લોકોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં પ્રિતેશ પટેલ અને મિતુલ પટેલનો સમાવેશ થાય છે, જ્યારે ઈજાગ્રસ્તોમાં કેયુર પટેલ, નિશાંત પટેલ, વિજય પટેલ, કરીશ પટેલ અને નિલેશ પટેલનો સમાવેશ થાય છે. મૃતદેહોને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ઘટના અંગે જલાલપોર પોલીસે તપાસ શરૂ કરી છે. નવસારી જિલ્લા તંત્ર દ્વારા…

Read More

નવસારી અપડેટ : નવસારી શહેરના વિજલપોર વિસ્તારમાં આવેલ નીરવ સ્કવેર એપાર્ટમેન્ટમાં આજે સવારે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. એપાર્ટમેન્ટની લિફ્ટમાં 5 વર્ષીય વિપુલ બારૈયા ફસાઈ જતા પરિવારજનોએ ઘબરાટ અનુભવ્યો હતો. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહામહેનત બાદ બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. બાળકને નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તપાસ કર્યા બાદ મૃત જાહેર કર્યો. પ્રાથમિક તારણ મુજબ લિફ્ટનું યોગ્ય મેન્ટેનન્સ ન થવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી બારૈયા પરિવાર પર શોકનું છાયું છવાઈ ગયું છે અને સમગ્ર વિસ્તારમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.

Read More

ગુજરાતમાં સૌથી વધુ આઇપીએસ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. ઘણા લાંબા સમયથી બદલીઓની અટકણો ના દોર શરૂ થયા હતા જેનો અંત આવ્યો છે સુરત રેન્જ એટલે કે દક્ષિણ ગુજરાતના પાંચેય જિલ્લા પોલીસવડાઓની બદલી કરવામાં આવી છે. સુરત રૂરલ તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લા પોલીસવડાઓની આંતરિક રીતે બદલીઓ કરવામાં આવી છે જેમાં નવસારી જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવતા સુશીલ અગ્રવાલની વડોદરા ગ્રામ્ય પોલીસવડા તરીકે બદલી તથા તેમના સ્થાને તાપી જિલ્લા પોલીસવડા એવા રાહુલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. સુશીલ અગ્રવાલને પુલિંગ આઉટસેરેમની દ્વારા વિદાય આપવામાં આવી છે સાથે નવા નિયુક્ત થયેલા રાહુલ પટેલને ગાર્ડ ઓફ ઓનર આપી આવકારવામાં આવ્યા છે…

Read More

નવસારી શહેરમાંથી વહેતી પૂર્ણા નદીની સપાટીમાં ઘટાડો નોંધાયો છે. મોડી રાત્રે નદીની સપાટી 20 ફૂટ સુધી પહોંચી હતી, જેના કારણે વહીવટી તંત્ર સાથે સ્થાનિકોમાં પણ ચિંતા ફેલાઈ હતી. નવસારી જિલ્લા તેમજ ઉપરવાસ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં પાણીનું પ્રમાણ ઝડપથી વધી ગયું હતું. જોકે, ઉપરવાસ અને નવસારી જિલ્લામાં વરસાદે વિરામ લેતા હવે નદીની સપાટીમાં ઘટાડો થવા લાગ્યો છે. હાલ પૂર્ણા નદીની સપાટી 16 ફૂટ પર પહોંચી છે. નદીની સપાટીમાં ઘટાડો થતાં વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સ્થાનિક રહેવાસીઓ માટે પણ આ ઘટાડો આનંદની વાત છે, કારણ કે નદી કિનારે વસવાટ કરતા લોકો માટે પૂરનું જોખમ ઘટી…

Read More

નવસારી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂની હેરાફેરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. એલસીબીને મળેલી બાતમીના આધારે ખુડવેલથી રાનકુવા તરફના રોડ પર હરણ ગામની સીમમાં કાવેરી નદીના બ્રિજ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. પોલીસે મહિન્દ્રા એક્સ-મહિન્દ્રા ટેમ્પો (નંબર MH-15-JC-5840)ને રોકીને તપાસ કરી હતી. ટેમ્પામાં બનાવવામાં આવેલા ખાસ ચોર ખાનામાંથી વિદેશી દારૂની 3,548 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹15,70,580 છે. https://youtube.com/shorts/KoauvqbJemw?si=JjIbMMKWG0QxotjY પોલીસે ₹10 લાખની કિંમતનો ટેમ્પો અને ₹4,000નો મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો છે. કુલ મુદ્દામાલની કિંમત ₹26,75,580 થવા જાય છે. આ કાર્યવાહી દરમિયાન અર્જુન નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. દારૂનો જથ્થો પૂરો પાડનાર ગબ્બર અને મુકેશ પાલને…

Read More

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સુલતાનપુર ગામના સરપંચશ્રી શશિકાંતભાઈ બી. પટેલને આ વર્ષે નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાનાર સ્વતંત્રતા દિવસના સમારોહમાં ખાસ મહેમાન તરીકે આમંત્રણ મળ્યું છે. દેશભરના કુલ 210 પંચાયત પ્રતિનિધિઓમાં તેમની પસંદગી કરવામાં આવી છે. પંચાયતી રાજ મંત્રાલય (MoPR) દ્વારા 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રેષ્ઠ કાર્ય કરનાર સરપંચોને આ માન આપવામાં આવે છે. ગુજરાતમાંથી પસંદ થયેલા 3 સરપંચોમાં શશિકાંતભાઈ પટેલનો પણ સમાવેશ છે. સુલતાનપુર ગામે “મોડેલ વિલેજ ઓફ રૂરલ ડેવલપમેન્ટ”નો ખિતાબ મેળવ્યો છે. ગામને ODF પ્લસ મોડેલ ગામ તરીકે ઓળખ અપાવવામાં આવી છે અને “હર ઘર, નળ સે જલ” યોજના સફળતાપૂર્વક અમલમાં મૂકાઈ છે. દિવ્યાંગજનોને સુવિધા મળે…

Read More

નવસારી જિલ્લામાં 6 ઓગસ્ટ, 2025 એ એક એવો દિવસ જયારે એક જ દિવસમાં જિલ્લાની અલગ-અલગ જગ્યાઓએ એક પછી એક દુઃખદ અને ચિંતાજનક ઘટનાઓ બની છે – ત્રણ વ્યક્તિઓએ જીવન ટૂંકાવ્યું, એક હોમગાર્ડની ટ્રેન અકસ્માતમાં દુર્ઘટનામૃત્યુ થઈ અને બીલીમોરામાં લાખો રૂપિયાની ચોરી થતાં સમગ્ર જિલ્લો હચમચી ગયો છે. ત્રણ આત્મહત્યાના બનાવથી ચિંતાનું મોજું વિજલપોર, ચિખલી અને નવસારી રુરલ પોલીસ સ્ટેશનોની હદમાં ત્રણ અલગ-અલગ આત્મહત્યાના બનાવો સામે આવ્યા છે. સુરત-મુંબઇ રેલવે ટ્રેક પર એક અજાણી મહિલાએ ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી. ટાંકલ ગામે ભાડેથી રહેતા 30 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. સાતેમના યુવાને આંબાના ઝાડે ફાંસો ખાઈ પોતાનું જીવન સમાપ્ત કર્યું.…

Read More