Author: Atul Rathod

અદાણી ગ્રુપના એક મોટા પ્રોજેક્ટને મહારાષ્ટ્ર સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા એક મોટા નિર્ણયમાં, સીએમ એકનાથ શિંદેની આગેવાની હેઠળની ઉદ્યોગ પરની મહારાષ્ટ્ર કેબિનેટ સબ-કમિટીએ ગુરુવારે રૂ. 1.17 લાખ કરોડના કુલ રોકાણ સાથે ચાર મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. આમાં ઇઝરાયેલના ટાવર સેમિકન્ડક્ટર અને અદાણી ગ્રૂપ દ્વારા સંયુક્ત રીતે સ્થાપવામાં આવનાર સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને રાયગઢ જિલ્લાના પનવેલમાં સ્થપાયેલા પ્રોજેક્ટમાં કુલ રૂ. 84,947 કરોડનું રોકાણ થશે અને 15,000 લોકોને રોજગારી મળવાની અપેક્ષા છે. પેટા સમિતિએ બે ઇલેક્ટ્રિક વાહન (EV) મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સ અને ટેક્સટાઇલ પ્લાન્ટને પણ મંજૂરી આપી હતી. વેદાંતા-ફોક્સકોને સપ્ટેમ્બર 2022માં…

Read More

રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતના ગેમ ઝોનની તપાસણી અને ચકાસણી કરાઈ હતી. જેમાં નિયમો અનુસાર બંધ ના બેસતા હોય તેવા ગેમ બંધ કરવાની અને હાલ પણ જે ગેમ ઝોન ચાલુ છે એમાં કોઈ ઇન રેગ્યુલારીટી દેખાય તો એને બંધ કરાવવામાં આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાને લઈને વાત કરવામાં આવે તો નાના બાળકોને જીવ ગુમાવવાનો વારો આવતા સમગ્ર ગુજરાતમાં હૃદય દ્રવી ઊઠે એવા દ્રશ્ય નિર્માણ થયા હતા. સમગ્ર ગુજરાત નાના બાળકોના મોતને પગલે દુઃખમાં સળી ગયો હતો અને ચિંતાતુર બન્યું હતું. બાળકોની સુરક્ષા અને ધ્યાન રાખીને રાજ્ય સરકાર ફરીથી જાગી છે અને રાજ્યમાં ફરીથી નવા નિયમો…

Read More

નવસારી શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર સંયુકત ઉપક્રમે જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને શ્રી એમ. એન. વિદ્યાલય ખડસુપા બોર્ડિંગ, નવસારી ખાતે યોજાયો હતો. નવસારી ખાતે યોજાયેલા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઇ દેસાઇએ તા.૫ મી સપ્ટેમ્બર પૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિનને યાદ કરી તેમણે જણાવ્યું હતું કે, ડૉ. રાધાકૃષ્ણન વિદ્વાન તથા ચિંતક હતા. શિક્ષકો પાસે સમાજને બહુ મોટી અપેક્ષાઓ રહેલી છે માતા-પિતા તેમના સંતાનને વિદ્યા સંસ્કાર મળે તે માટે શિક્ષક પાસે શ્રધ્ધાથી મૂકે છે કે જયાં તેનું ચારિત્ર્ય, ક્ષમતા, બુધ્ધિચાતુર્ય બધુ જ શિક્ષક-ગુરૂજન ઘડશે. શિક્ષક…

Read More

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના નવસારી જિલ્લામાં કાવેરી નદી પર પુલનું બાંધકામ 25 ઓગસ્ટ 2024ના રોજ પૂર્ણ થયું હતું. પુલની મુખ્ય વિશેષતાઓ: લંબાઈ: 120 મીટર 3 ફુલ સ્પાન ગર્ડર (દરેક 40 મીટર) નો સમાવેશ થાય છે થાંભલાઓની ઊંચાઈ – 13 મીટરથી 21 મીટર તેમાં 4 મીટર વ્યાસનો એક (01) ગોળાકાર થાંભલો અને 5 મીટર વ્યાસના ત્રણ (03) ગોળાકાર થાંભલા છે. આ પુલ વાપી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે છે. આ બંને સ્ટેશનો વચ્ચે કોલક, પાર અને ઔરંગા નદીઓ પર પુલનું નિર્માણ પણ પૂર્ણ થઈ ગયું છે.  આ નદી અંબિકા નદીની ઉપનદીઓમાંની એક છે, જે મહારાષ્ટ્ર રાજ્ય સાથે ગુજરાત રાજ્યના…

Read More

વૈશ્વિક સ્તરે, આંખ સંબંધિત અનેક પ્રકારના રોગો સમયની સાથે સતત વધી રહ્યા છે. કેટલાક દાયકાઓ પહેલા સુધી, આંખની સમસ્યાઓને વૃદ્ધત્વ સાથે સંકળાયેલ વિકૃતિઓ તરીકે ઓળખવામાં આવતી હતી, જો કે, હવે નાના લોકો પણ તેનો શિકાર બનતા જોવા મળે છે. ઘણા કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે બાળકો અને કિશોરોને નાની ઉંમરમાં પાવર ચશ્મા લાગી જાય છે. ડૉક્ટરોનું કહેવું છે કે જીવનશૈલી અને આહારમાં ખલેલ ઉપરાંત સ્ક્રીન ટાઈમમાં વધારો આંખો માટે પણ નુકસાનકારક છે. આના કારણે, વ્યક્તિને ઓછી દ્રષ્ટિ, સૂકી આંખો, આંખમાં દુખાવો, ગ્લુકોમા અને કેટલીક પરિસ્થિતિઓમાં દ્રષ્ટિ ગુમાવવી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પાંપણ ઝબકાવવાની આદતને આમાં સૌથી…

Read More

નવસારી-વિજલપોર નગરપાલિકામાં વરસાદના વિરામ બાદ તાત્કાલિક ધોરણે ભરાયેલા પાણીનો નિકાલ થાય તે માટે રોડ રસ્તા ગળનાળા સહિતના વિસ્તારોમાં યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. લોકોના આરોગ્ય માટે શેરીઓ તેમજ રસ્તાઓ પર સાફ-સફાઈ અને દવા છંટકાવ સહિતની કામગીરી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આજે નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા માટે નગરપાલિકા અને આરોગ્ય વિભાગની વિવિધ ટીમોની રચના કરી સાફસફાઇ અને દવા છંટાકાવ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા રોડ રસ્તાઓ પર ફેલાયેલા ગંદકીના પડ દૂર કરી રસ્તાને ચોખ્ખા કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત આરોગ્યની ટીમ દ્વારા રસ્તા પર દવા છંટકાવ તેમજ ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી…

Read More

દક્ષિણ ગુજરાતમાં દિમાગ વરસાદના કારણે નવસારી જિલ્લાએ ભયંકર પૂરનો સામનો કરવો પડ્યો હતો. નવસારી અને બીલીમોરા શહેરને પૂર્ણ અંબિકા અને કાવેરી નદીએ પાણીમાં તરબોલ કરી દીધા હતા 20 કલાક જેટલા સમય નવસારી શહેર અને બીલીમોરા શહેરને પાણીમાં ડુબાડી દીધા હતા. એક લાખ લોકો પ્રભાવિત થયા હતા. હાલ પૂરના પાણી ઉતરી ગયા છે પરંતુ નવસારી જિલ્લા પંચાયત હસ્તકના 11 જેટલા રસ્તાઓ ઓવરટેપિંગના કારણે હજુ પણ બંધ છે. પૂર્ણ નદી પર આવેલો સુપા કુરેલ ગામને જોડતો અને 25,000 થી વધુ લોકો માટે સહારો ગણાતો સુપા કુરેલ બ્રિજ પાણીમાં ગરમ થતા લોકોની સમસ્યામાં વધારો થયો છે એક સિઝનમાં 10 થી વધુ વખત પાણીમાં…

Read More

શિક્ષણને પોતાનો ધર્મ માનનારા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ચેન્નઈ (મદ્રાસ) નજીકના યાત્રાધામ તિરૂતની ગામમાં તા.૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ થયો હતો. તેમના પૂર્વજો સર્વપલ્લી નામક ગામના હોવાથી ગામની યાદ કાયમ રહે તે માટે તેમણે ‘સર્વપલ્લી’ નામ ધારણ કર્યું. તેમના પિતા વીરસ્વામી શિક્ષક હતા અને સાથે ગોરપદું પણ કરતા. અંગ્રેજીમાં એમનું વકતવ્ય હતું અદભૂત નાનપણથી જ તેઓ શરમાળ, સંકોચશીલ પરંતુ ભારે બહુમુખી પ્રતિભા સંપન્ન હતા. વાંચન અને મનનનો તેમને ભારે શોખ. ખ્રિસ્તી સ્કૂલમાં તેમણે શાળાકીય શિક્ષણ લીધું, મદ્રાસની ક્રિશ્ચયન કોલેજમાંથી ‘દર્શનશાસ્ત્ર’ વિષય સાથે પ્રથમ નંબરે બી.એ. થયા. ‘તત્વજ્ઞાન’ વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવી અને પ્રેસિડન્સી કોલેજમાં તર્કશાસ્ત્ર (તત્વજ્ઞાન) ના પ્રાધ્યાપક થઈને શિક્ષણકાર્યનો આરંભ…

Read More

ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ સર્જાય નહીં તે માટે અગમચેતી રાખવી જરૂરી છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા ગંભીર રોગો સામે રક્ષણ મેળવવા માટે કેટલાક તકેદારીના પગલા લઈએ તે હિતાવહ છે. સોસાયટીમાં અને મકાનમાં છત સહિતની જગ્યાઓ પર પાણીનો નિકાલ કરવો, તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી, પક્ષીખાના, કુંડા, ટાયર, ભંગારનો સામાન વગેરેમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવો, સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવાથી મચ્છરથી બચી શકાય છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા અગમચેતીના પગલાને અનુસરી મચ્છરજન્ય રોગોથી બચી શકાય છે. તાવ આવે તો આરોગ્ય કાર્યકર પાસે લોહીની નિઃશુલ્ક તપાસ…

Read More

ભારતમાં આજે ભલે લગ્નની કાયદેસર ઉંમર છોકરાઓ માટે 21 વર્ષ અને છોકરીઓ માટે 18 વર્ષ રાખવામાં આવી છે, પરંતુ બદલાતા સમયના કારણે યુવાનોની વિચારસરણીમાં ઘણો બદલાવ આવ્યો છે. હવે મોટાભાગના યુવાનો 18 અને 21 વર્ષની ઉંમરે નહીં પરંતુ 30 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી જ લગ્ન કરવા માગે છે. જો કે, પહેલાના સમયમાં, લોકો માનતા હતા કે વહેલા લગ્ન યુગલો વચ્ચે ઊંડી પરસ્પર સમજણ અને સંબંધોમાં પરિપક્વતા લાવે છે. પણ હવે બદલાતી વિચારસરણીવાળા યુવાનો એવું માનતા નથી. જો તમે પણ એવા યુવાનોની યાદીમાં સામેલ છો જેઓ 30 વર્ષની ઉંમરે લગ્ન કરવા યોગ્ય માને છે, તો ચાલો જાણીએ કે આવું કરનારા યુગલોને…

Read More