- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
Sસંયમના માર્ગે ચાલી નીકળવું એ શૂરવીરનો માર્ગ છે. ધર્મ કાજે અને સમાજ રક્ષા કાજે સંયમના માર્ગે નીકળવું ખૂબ અઘરું થઈ પડે છે. 93 વર્ષની જીવન તપસ્યા બાદ જૈન ભગવાન પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી હેમ પ્રભુ સૂરીશ્વરજી મહારાજ કાળ ધર્મ પામ્યા છે અને દેશભરમાં જૈનોના માનિતા ભગવંત ના કાળ ધર્મને પગલે જૈન સમાજમાં શોખની લાગણી આપી છે. 93 વર્ષની ઉંમરે દેહ છોડનાર હેમ પ્રભુ સૂરીશ્વરજી મહારાજ 65 વર્ષનો દીક્ષા પર્યાય હતો તેમણે જીવનભર જૈન સમાજના લોકોની પ્રગતિ અને દેશ દુનિયાના લોકો માટે વિવિધ જાગૃતિ માર્ગો શોધ્યા હતા. આચાર્ય ભગવાનના મહત્વના કામો. આચાર્ય ભગવાનથી 350 જેટલી દીક્ષાઓ કરાવી છે જે તેમની ગૌરવવંતી અને…
તનવસારી જિલ્લામાં રાજયકક્ષા વન અને પર્યાવરણ ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ઢોડીયા સમાજની વાડી, સુરખાઈ, ચિખલી ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. નવસારી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળા દરમિયાન આદિજાતિ વિભાગ,આરોગ્ય, કૃષિ,પશુપાલન, ગ્રામવિકાસ, મહિલા અને બાળ કલ્યાણ, ફિશરીઝ ,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા, શિક્ષણ વિગેરે જુદા જુદા વિભાગના લાભાર્થીઓને સ્ટેજ ઉપથી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે ૧૭૪૧ લાભાર્થીઓને રૂ.૦૮ કરોડની સાધન- સહાયના લાભો હાથોહાથ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ સ્થાનેથી ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગરીબ કલ્યાણ…
લ્યો કરો વાત, સરકારની નીતિ રીતિ સામે નવસારી જિલ્લામાં એક કોથળો ભરીને ફરિયાદ ! જાણો આખરે સમસ્યા શું ?
સરકારી વિભાગની આબરૂના ધજાગરા ઉડાવતા હોય છે. નવસારી જિલ્લામાં કોંગ્રેસ ચીથરેહાલ હાલતમાં આવી ગઈ છે, અને પોતાનું અસ્તિત્વ તલાસી રહી છે. એમાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દક્ષિણ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા હતા નવસારી જિલ્લા સહિત વલસાડ અને નવસારી જિલ્લાના કાર્યકરો માટે જનમંચ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં લોકોની સમસ્યાઓ સાંભળી હતી. જનમંચ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ગ્રામ પંચાયતથી માંડીને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કલેકટર ઓફિસ જમીન, વીજળી, પાણી અને તમામ વિભાગોને લગતા પ્રશ્નો બાબતે લોકો પાસે પ્રશ્નો જાણી રહી છે, અને જરૂર પડે મદદ કરવા…
દક્ષિણ ગુજરાતની મહત્વની ગણતરી પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેરા, તાપી ઓરંગા મિઢોળા જેવી નદીઓના કાંઠે દીપડાઓની વસ્તી જોવા મળી રહી છે. જે માનવ જીવન માટે ખતરા રૂપ સાબિત થઈ રહી છે. નવસારી જિલ્લામાં ખાસ કરીને શેરડી મોટા પ્રમાણમાં થાય છે અને એમાં પણ સૌથી વધુ નદીઓ નવસારી જિલ્લામાંથી પસાર થાય છે મીંડોળા પૂર્ણ અંબિકા અને કાવેરી નદીઓના તટવિસ્તારમાં શેરડીનો પાક મોટા પાયે લેવામાં આવે છે, અને દીપડાઓ માટે રહેણાંક માટેનું પ્રતિકૂળ વાતાવરણ હોવાના કારણે સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. અંદાજે વન વિભાગની ગણતરી મુજબ 90 થી વધારે દીપડાઓ નવસારી જિલ્લામાં હોવાનું પ્રાથમિક વસ્તી ગણતરીમાં બહાર આવ્યું હતું. યુવતીને પગમાં ગંભીર…
દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ ડાંગ અને તાપી જિલ્લો હોટ જિલ્લાઓ માનવામાં આવે છે ત્યાંથી દારૂની થાય છે અને દક્ષિણ ગુજરાતમાંથી સમગ્ર ગુજરાતમાં દારૂના દુષણને ઘુસાડવાનો પ્રયાસ થતો હોય છે જેમાં નવસારી જિલ્લાના અલગ અલગ ત્રણના ગુનામાં ગણના પત્રક કેસમાં નાસ્તા ફરતા આરોપીને વાપી ખાતેથી ઝડપી ગણદેવી પોલીસે મહત્વની કામગીરી કરી છે. આરોપીનું નામ હુસેનભાઇ કાદરભાઈ શેખ. અનાવલ મસ્જિદ પડ્યું તાલુકો મહુવા જીલ્લો સુરત. નવસારી જિલ્લાના ત્રણ જેટલા ગુનાઓમાં વોન્ટેડ હતો જેમાં ગણદેવી પોલીસ સ્ટેશન નવસારી રૂરલ પોલીસ સ્ટેશન અને મરોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની 65 એઈ 116 બી 98 2 81 મુજબ ત્રણ ગુનાઓમાં વોન્ટેડ હતો એ આરોપીને બાદમીના આધારે…
નવસારી એસોજી બાતમી મળી હતી કે આટ ગામમાં મેટલ વર્ક શોપના પાછળના ભાગે ગુપ્ત રીતે ગાંજાનો છોડનું ગેરકાયદેસર રીતે વાવેતર કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીવાય ચિત્તે અને તેમના સ્થાપના માણસો દ્વારા બાતમીના આધારે ચોક્કસ જગ્યાએ રેડ કરી હતી. તે દરમિયાન સંદીપભાઈ છોટુભાઈ પટેલનાઓની આઠ ગામની અંજલ જતા રોડ ઉપર સૈનિકો મેટલ વર્કસ નામના કારખાનાની પાછળના ભાગે ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય ગાંજાના છોડનું વાવેતર કરેલ હતું. જે બાતમીના આધારે મળી આવ્યું હતું. ગાંજાના છોડ આશરે છ થી સાત ફૂટ આઠ ફૂટ 9 ફૂટ જેટલા ઊંચા હતા એવા આઠ છોડ મળી આવતા પોલીસે અટકાયત કરી છે.…
દક્ષિણ ગુજરાતની મોટાભાગની શાળાઓમાં જિલ્લા શિક્ષણ વિભાગ સાથે મળીને વિદ્યાર્થીઓમાં ગાય બાબતે જાગૃતિ લાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે શાળાઓમાં ભરીને વિદ્યાર્થીઓને એક રોટી ગાય કે નામ પહેલી રોટલી બનાવવાનો સંદેશ નવસારી શહેરના જૈન અગ્રણી એવા ભુરાલાલ શાહના દીકરી પ્રીતિ માલુ દ્વારા સમાજસેવી સંસ્થા ઊભી કરીને એમાં સ્વયંસેવકો સાથે મળીને ઘરની પહેલી રોટલી ગાય માતા માટે પ્રોજેક્ટ હાથ કરવામાં આવ્યો છે જે બાબતે સમાજમાં જાગૃતિ આવે અને દેશી ગૌધનને બચાવવા માટે મહત્વનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે જેમાં સુરત નવસારી વલસાડ ડાંગ જેવા જિલ્લાઓમાં ગૌશાળાઓમાં તથા વિવિધ જગ્યાએ જઈને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે ગાય માતાને ઘાસચારો…
સરકારે ટેલિકોમ મંત્રાલય હેઠળના ટેલિકોમ પ્રોજેક્ટ્સ અને જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે રૂ. 1.28 લાખ કરોડની ફાળવણીનો પ્રસ્તાવ મૂક્યો છે. આમાંથી મોટાભાગની રકમ જાહેર ક્ષેત્રની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) માટે ફાળવવામાં આવી છે. કુલ સૂચિત ફાળવણીમાંથી, રૂ. 1 લાખ કરોડથી વધુ BSNL અને MTNL સંબંધિત ખર્ચ માટે છે, જેમાં BSNLમાં ટેક્નોલોજી અપગ્રેડેશન અને રિસ્ટ્રક્ચરિંગ માટે રૂ. 82,916 કરોડના રોકાણનો પણ સમાવેશ થાય છે. બજેટ અનુસાર, “બજેટ અંદાજ 2024-25માં આ માંગ માટે કુલ ચોખ્ખી ફાળવણી રૂ. 1,28,915.43 કરોડ (રૂ. 1,11,915.43 કરોડ અને રૂ. 17,000 કરોડ) છે. “યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ’ હેઠળ ઉપલબ્ધ બેલેન્સમાંથી રૂ. 17,000 કરોડની વધારાની જોગવાઈ પૂરી કરવામાં આવે…
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ના નેજા હેઠળ નારણ લાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, નવસારી દ્વારા આંતર કોલેજ બહેનોની ટેક્વોન્ડો સ્પર્ધા નું આયોજન પંડિત દીનદયાલ ઉપાદ્યાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, લુન્સીકૂઇ, નવસારી ખાતે યોજ્ય હતી. જેમાં 22 કોલેજઓ એ ભાગ લીધેલ હતો સ્પર્ધા દરમ્યાન નારણ લાલા કોલેજ ના કો. ઓડીનેટર ખ્યાતીબેન કંસારા, ડાયરેક્ટર ડૉ. વી. ડી. નાયક ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના આયોજક મંત્રી ડૉ. મયુર પટેલે નવસારી વિજલપોર નગરપાલિકાના પદાધિકારીઓ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત નો આભાર માન્યો હતો. અંતે વિજેતા ખેલાડીઓને આચાર્ય ડૉ. ચિરાગીબેન દેસાઈ અને ઓફિસયલો દ્વારા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા અને વિજેતાઓ માંથી પસંદગી પામેલા…