- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
વરસાદમાં રસ્તા ધોવાઈ જવા એ સમગ્ર ગુજરાતની સમસ્યા છે. નવસારી મહાનગરપાલિકા માટે આ મુદ્દો કોઈ નવાઈનો નથી પરંતુ નજરની સામે જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવીને રસ્તા બનાવતી વખતે નિયમોનું પાલન ન કરે તો પાંચ શીખવવાની જવાબદારી શહેરીજનોની છે. નવસારી શહેરના ટેકરી વિસ્તારના રામજી ખત્રી વિસ્તારમાં બની રહેલા રસ્તાને લઈને લોકોમાં ભારોબાર આક્રોશની લાગણી જન્મી છે. દશેરા ટેકરી વિસ્તારના રામજી ખત્રીમાં રસ્તા બનાવી રહેલી જીપીસી ઇન્ફ્રા કંપનીને રસ્તાઓ સમારકામ માટેની કામગીરી સોંપવામાં આવી છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાની સાફ-સફાઈ કર્યા વગર રસ્તો બનાવવાની શરૂઆત કરતા પૂર્વ કોર્પોરેટર અને સ્થાનિક રહીશો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાક્રમમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવતા કોન્ટ્રાક્ટર…
હાથમાં ચાંદ બતાવી ફ્યુઝન નવરાત્રીના આયોજકે નવસારીના ખેલૈયાઓનો ખેલ બગાડ્યો, છેતરપિંડી કરી, તંત્ર મૌન…
માં અંબા નું આરાધના પર્વ એટલે કે નવરાત્રી સમગ્ર દેશ અને દુનિયામાં સૌથી લાંબા નૃત્ય મહોત્સવ તરીકે જાણીતી બની છે. ગુજરાતના ગરબા ને સમગ્ર દુનિયામાં વસતા ગુજરાતીઓથી લઈને તમામ ભારતીયો પસંદ કરતા હોય છે અને આરાધના કરીને માં અંબાની સાધના બાદ ફળ શ્રુતિ પામવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુ પ્રોફેશનલ આયોજનો કરી રૂપિયા કમાવી લેવાની મેલી મુરાદો લઈને નવસારી શહેરમાં ફ્યુઝન નવરાત્રી એ લોકોના બે દિવસના રૂપિયા ખંખેરી લઈને ફરાર થઈ ચૂક્યા છે. ફ્રોડ કરનાર વ્યક્તિએ તેના જમણા હાથને પણ છેલ્લા દિવસ સુધી ખબર પડવા દીધી ન હતી. એટલે કે છેલ્લે સુધી આ એક જ વ્યક્તિ આખી ગેમ કરી રહ્યો…
નવસારીમાં વિજયાદશમીનો પાવન તહેવાર ધર્મ તથા સત્યની જીતના પ્રતિકરૂપે ભવ્ય રીતે ઉજવાયો. નવસારી મહાનગરપાલિકા દ્વારા લુંસીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સાંજે ૭:૦૦ વાગ્યે યોજાયેલા આ ઐતિહાસિક રાવણ દહન પ્રસંગે શહેરવાસીઓ ઉત્સાહપૂર્વક જોડાયા. આ અવસરે ધારાસભ્યશ્રી નવસારી, કમિશનરશ્રી, ડીડીઓ શ્રી તથા સમાજના આગેવાનોની આગવી ઉપસ્થિતિ રહી. અંદાજે ૪૦૦૦ જેટલા નાગરિકોએ ઉપસ્થિત રહી ધર્મના વિજયનું આ અનોખું દ્રશ્ય નિહાળ્યું. રાવણ દહન બાદ ઝગમગતી આતશબાજીથી સમગ્ર આકાશ ઉજ્જવળ થઈ ઉઠ્યું. નવસારીના ઇતિહાસમાં સૌપ્રથમવાર આટલી ભવ્યતા સાથે યોજાયેલા આ કાર્યક્રમને શહેરજનોએ યાદગાર બનાવ્યો.
નવસારીમાં જ્વેલર્સને સસ્તા દરે આંગળીઓ આપી આપવાની લાલચ આપીને 25 લાખ રૂપિયાની ઠગાઈ કરનાર બે આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. માહિતી મુજબ, આરોપીઓ Just Dial એપ્લિકેશન મારફતે જ્વેલર્સના નંબર શોધતા હતા અને તેમને બજારભાવ કરતાં સસ્તા દરે આંગળીઓ આપવાની લોભામણી ઓફર કરતા હતા. આ જ રીતે, નવસારીના લિબર્ટી જ્વેલર્સના માલિકને પણ લાલચ આપી વિશ્વાસમાં લઈને 25 લાખ રૂપિયા મુંબઈ મોકલાવ્યા હતા. બાદમાં માલ ન મળતા વેપારીએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે તેમની પાસેથી સો ટકા…
વલસાડ વર્તુળ કચેરી વિસ્તારમાં તા. 27 અને 28 સપ્ટેમ્બર દરમિયાન આવેલા મીની વાવાઝોડા, અતિભારે વરસાદ અને તોફાની પવનના કારણે વીજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થયું હતું. વાવાઝોડા અને વરસાદના કારણે અનેક HT અને LT વીજ પોલ તેમજ ટ્રાન્સફોર્મર ધરાશાયી થતા હજારો ગ્રાહકોના વીજ પુરવઠા પર સીધી અસર થઈ હતી. વીજ તારો તૂટી પડ્યા હતા અને અનેક વૃક્ષો વીજ લાઇન પર આવી પડતા વિતરણ નેટવર્કને ગંભીર નુકસાન થયું હતું. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વલસાડ વર્તુળ કચેરી દ્વારા અવિરત કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો હતો. વિભાગીય સ્તરે અધિકારીઓ, ઇજનેરો અને કર્મચારીઓ તાત્કાલિક મરામત કામગીરીમાં જોડાયા હતા. વધારાની મશીનરી, વાહનો અને આશરે 40 કોન્ટ્રાક્ટર…
ગત રાત્રિએ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વિવિધ વિસ્તારોમાં મીની વાવાઝોડું અને ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ હતી. વાવાઝોડાના કારણે અનેક ગામોમાં ઝાડ પડ્યા હતા, ઘરોને નુકસાન થયું, ખેતીને નુકશાન પહોંચ્યું તેમજ પશુઓ પર પણ અસર થઈ હતી. પરિસ્થિતિ બાદ તુરંત જ જિલ્લા તંત્ર દ્વારા સર્વે અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પરિસ્થિતિનો તાગ મેળવવા નાણા-ઊર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ આજે વાંસદાના વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે હાલની સ્થિતિ અંગે તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. મંત્રીશ્રીએ સિણધઈ વિસ્તારમાં અસરગ્રસ્ત પરિવારો સાથે સીધી મુલાકાત કરીને તેમની મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી. સાથે જ વિવિધ…
નવસારીમાં ટેટુ આર્ટિસ્ટ જય સોની પર મહિલાઓને હવસનો શિકાર બનાવવાનો આરોપ લાગ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જય સોની, જે નવસારીના લુનસી વિસ્તારમાં ટેટુ સ્ટુડિયો ચલાવે છે, યુવતી સાથે સંબંધો કેળવીને હવસનો શિકાર બનાવતો હતો. પોતે લગ્ન કરશે એવી બાંહેધરી આપીને યુવતીને ગર્ભવતી બનાવ્યું અને પછી ગેરકાયદેસર ગર્ભપાત કરાવ્યું. યુવતીની ફરિયાદ બાદ પોલીસ કાર્યવાહી શરૂ થઈ અને 11 એપ્રિલ, 2025ના રોજ ગુનો નોંધાયો. આરોપ અને કાર્યવાહી: જય સોની પર બળાત્કાર, છેતરપિંડી અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આરોપી પોલીસને ભાગતા બચવા માટે જારી રહ્યો હતો અને હાઈકોર્ટ સુધી જામીન ન મળતા અંતે પોલીસે ધરપકડ કરી. પોલીસે પાંચ દિવસના…
નવસારી શહેરના સેન્ટ્રલ બેન્ક વિસ્તાર નજીક આવેલ લેન્ડમાર્ક મોલના બેઝમેન્ટમાં મૂકાયેલા મીટરમાં આજે બપોરે અચાનક આગ ભભૂકી ઉઠી. પ્રાથમિક માહિતી મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે. મીટર પેટીમાં આગ લાગતાં મોલમાં ધુમાડો ફેલાતાં મોલની ઓફિસોમાં હાજર કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ, અને બધા લોકોએ ઝડપથી ઓફિસો ખાલી કરી સુરક્ષિત સ્થળે આશરો લીધો. ઘટનાની જાણ થતા નવસારી મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો, જેના કારણે મોટી જાનહાની ટળી. આગ લાગવાના કારણે લેન્ડમાર્ક મોલ અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો. ઘટનાની જાણ થતા દક્ષિણ ગુજરાત…
નવસારી: નવરાત્રીના પાવન તહેવારનો પ્રારંભ થતાં જ નવસારીના આશાપુરી મંદિરે પ્રથમ નોરતે માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ગણેશજી અને માર્કંડ ઋષિ સાથે માં આશાપુરી બિરાજમાન હોય તેવું અનોખું મંદિર સમગ્ર ગુજરાતમાં માત્ર નવસારીમાં જ આવેલું છે. આ મંદિર ગાયકવાડી રાજનું પ્રતિક માનવામાં આવે છે. આજે પવિત્ર આસો નોરતે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 385 વર્ષ જૂનું મંદિર ભક્તિભાવનું કેન્દ્ર ગાયકવાડી શાસન દરમ્યાન નિર્માણ પામેલું આશરે 385 વર્ષ જૂનું આશાપુરી મંદિર, દક્ષિણ ગુજરાતમાં આસ્થાનું પ્રતિક છે. નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારથી જ મંદિર પ્રાંગણમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ મંદિર અનેક વર્ષોથી માઈ ભક્તોની…
નવસારી મહાનગરપાલિકા કચેરીની બાજુમાં આવેલ શાકભાજી માર્કેટમાં ભારે પાણી ભરાતા વેપારીઓ અને ખરીદદારો મુશ્કેલીમાં મુકાયા છે. મનપા દ્વારા નાખવામાં આવેલી પાણીની લાઈનમાંથી યોગ્ય નિકાલ ન થતાં માર્કેટ વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતાં હાહાકાર મચી ગયો છે. પાણીના જમાવડાને કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વેપારીઓનું કહેવું છે કે, દરેક વરસાદી સિઝનમાં આવો જ પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ મનપા તરફથી કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. જેના કારણે રોજિંદા ધંધામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. પાણીનો નિકાલ કરવા માટે મહાનગરપાલિકા કર્મચારીઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક માર્કેટ વિસ્તારમાં પહોંચી ગયા હતા. જોકે, આ તાત્કાલિક વ્યવસ્થા માત્ર સમયસર રાહત પૂરતી જ રહે…