- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
નવસારી શહેરમાંથી દુખદ ઘટના સામે આવી છે. નવસારીની પૂર્ણા નદીમાં બે લોકો તર્પણ દરમ્યાન ડૂબી ગયા હતા. માહિતી પ્રમાણે, નવસારી પૂર્ણા નદી ખાતે આવેલા સ્મશાન ખાતે પિતૃ તર્પણ કરવા આવેલા ભીખુભાઈ અને ધર્મેશભાઈ ઢીમર પૂર્ણા નદીમાં તર્પણ કરી રહ્યા હતા, ત્યારે અચાનક બંને યુવકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને ટ્રાફિક પોલીસના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જ્યારે ભીખુભાઈ નો સફળતાપૂર્વક બચાવ કરવામાં આવ્યો છે, તેવામાં ધર્મેશભાઈનું દુર્ભાગ્યવશ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોમા શોકની લાગણી જોવા મળી રહી છે.
ગંભીરા પુલ દુર્ઘટનાને પગલે નવસારી મહાનગરપાલિકા હવે સંપૂર્ણ રીતે સતર્ક બની છે. શહેરના જૂના શોપિંગ સેન્ટરોની હાલત જોઈને તંત્ર એક્શનમાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યસ્થ શોપિંગ સેન્ટરમાં આવેલી 337 દુકાનોને માત્ર 3 કલાકમાં ખાલી કરવા મૌખિક નોટિસ આપવામાં આવી છે. અનુમાનિત રીતે છેલ્લા 45 વર્ષથી ધમધમતી આવી દુકાનો હવે જર્જરીત હાલતમાં પહોંચી ગઈ છે, જેને ધ્યાને લઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાની નોટિસ મળતાની સાથે જ વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે અને બહુજન વેપારીઓએ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા આ પગલાં શક્ય અકસ્માતને ટાળવા માટે આગમચેતી રૂપે લેવામાં આવ્યા છે. જૂના માળખાના સ્ટ્રક્ચર સેફટીના…
નવસારી જિલ્લામાં મિલ્કત સંબંધિત અનડિટેક્ટ ગુનાઓ શોધવા અને ચોરાયેલ મુદ્દામાલની પુનઃપ્રાપ્તી માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત નવસારી એલ.સી.બી. શાખા તથા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા નીચે મુજબના મુદ્દામાલ આરોપી પાસેથી કબ્જે કરવામાં આવ્યો છે: સોનાનું મંગળસૂત્ર – ૨ નંગ સોનાની ચેન – ૧ નંગ સોનાની બૂટી – ૧ જોડી સોનાની બૂટી – ૧ નંગ કુલ કિંમત (સોનાના દાગીના): રૂ. ૫,૦૪,૪૪૮/- તે ઉપરાંત બીજા ગુનાના સંદર્ભમાં ગ્રે કલરની એક્ટીવા મોપેડ કિંમત રૂ. ૨૦,૦૦૦/- પણ આરોપી પાસેથી કબ્જે કરવામાં આવી છે. કુલ રિકવર કરવામાં આવેલ મુદ્દામાલની કિંમત: રૂ. ૫,૨૪,૪૪૮/- “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ આ કબ્જે કરાયેલ…
નવસારી: નવસારી મહાનગરપાલિકામાં નવો ધમધમાટ શરૂ થયો છે. મહાનગરપાલિકાના નવા સીમાંકન અંગેનો સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે. નવસારી મહાનગરપાલિકા હવે કુલ 13 વોર્ડમાં વિભાજિત થશે અને કુલ 52 કોર્પોરેટરની બેઠકો રહેશે. નવી બેઠક વિતરણ મુજબ જુદી જુદી કેટેગરી માટે રિઝર્વેશનની રૂપરેખા પણ ઘોષિત કરવામાં આવી છે: શિડ્યુલ કાસ્ટ (SC): કુલ 3 બેઠકો રિઝર્વ, જેમાંથી 1 બેઠક મહિલાઓ માટે અનામત. શિડ્યુલ ટ્રાઈબ (ST): કુલ 8 બેઠકો અનામત, જેમાંથી 4 બેઠક મહિલાઓ માટે રિઝર્વ. ઓબીસી (OBC): કુલ 14 બેઠકો માટે અનામત, જેમાંથી 7 બેઠક મહિલાઓ માટે રિઝર્વ. જનરલ કેટેગરી: 27 બેઠકો, જેમાંથી 14 મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા…
નવસારી જિલ્લા કાર્યપાલક ઈજનેર (મા×મ) વિભાગના જણાવ્યા મુજબ તા. ૧૬ જુલાઈ થી ૧૯ જુલાઈ ૨૦૨૫ દરમિયાન નવસારી સુપા-બારડોલી રોડ પર પુર્ણા નદી ઉપર આવેલા સુપા નજીકના બ્રીજ ઉપર લોડ ટેસ્ટ હાથ ધરવામાં આવશે. સલામતીના ભાગરૂપે આ સમયગાળા દરમિયાન વાહન વ્યવહાર તથા રાહદારીઓ માટે આ બ્રીજ સંપૂર્ણપણે બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ : આ અવધિ દરમિયાન વાહનો માટે ભુતબંગલા સુપા થી પેરા થઈ ધોળાપીપળા ચોકડી – એન.એચ. ૪૮ માર્ગનો ઉપયોગ કરવો. આ લોડ ટેસ્ટ ફક્ત જાહેર જનહિત માટે અને બ્રીજની સલામતી માટે કરવામાં આવી રહ્યો છે, તદ્દન જરૂર વગર કોઈ ખોટી વાતો અથવા અફવા ન ફેલાવવાની વિનંતી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા બે મહત્વના જળાશયો કેલિયા ડેમ અને જુજ ડેમ આજે ૧૦૦ ટકા પાણી ભરાઈ જતા ઓવરફ્લો થયા છે. ડેમ ઓવરફ્લો થવાના પગલે ડેમની નીચેવાસના કુલ ૪૬ ગામોના નાગરિકોને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં વાંસદા, ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. જુજ ડેમ, જે કાવેરી નદી પર જુજ ગામ ખાતે આવેલ છે, તે ૧૫ જુલાઈના રોજ વહેલી સવારે ૩:૦૦ કલાકે સંપૂર્ણ સપાટીએ ભરાઈ ઓવરફ્લો થયો હતો. ડેમમાંથી હાલમાં ૨૩૨.૩૩ ક્યુસેક પાણીનો પ્રવાહ ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમની સંપૂર્ણ જળ સપાટી ૧૬૭.૫૦ મીટર છે, જ્યારે આજ સવારે ૧૦ વાગ્યે નાપેલ સપાટી ૧૬૭.૮૦ મીટર નોંધાઈ…
નવસારી શહેરમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ બજાર કેન્દ્રનું ઉદ્ઘાટન તેમજ નૈસર્ગિક નવસારી એન્ડ્રોઈડ એપ્લિકેશનનું લોન્ચિંગ કેન્દ્રિય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટિલના હસ્તે ભવ્ય રીતે યોજાયું હતું. આ નિમિત્તે પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતોએ પોતાના ખેત પેદાશોની વિક્રિ માટે ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાકભાજી, ફળફળાદી જેવી ખાદ્ય ખેતપેદાશો નવીન અવતાર સાથે શહેરજન સુધી સીધા પહોંચે તે હેતુસર આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, ધારાસભ્યશ્રી રાકેશ દેસાઈ તથા આર.સી. પટેલ સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એપ્લિકેશનનું લોન્ચિંગ નૈસર્ગિક…
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ નવસારી જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા. તેમની ઉપસ્થિતિમાં જિલ્લામાં નવા ચૂંટાયેલા સરપંચોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સરપંચોને સંબોધન કરતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જે ભંડોળ ગ્રામ વિકાસ માટે આવે છે તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. સી.આર. પાટીલએ જણાવ્યું કે “જેમના કામ માટે ભંડોળ મળ્યું છે એ કામ માટે જ તેનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને સ્વચ્છતા માટે મળેલા ભંડોળનો ઉપયોગ માત્ર ગામના સ્વચ્છતા કામમાં જ થવો જોઈએ.” તેમણે વધુમાં જણાવ્યું કે હવે મનરેગા હેઠળ પણ વોટર હાર્વેસ્ટિંગ માટે ભંડોળ મળશે. ગુજરાતના 33 જિલ્લાઓ અને દેશના અનેક રાજ્યોમાં વોટર…
દેશમાં ઢાંચાગત વિકાસને વેગ આપવાના મંત્ર સાથે કેન્દ્ર સરકારે દિલ્લીથી મુંબઈ એક્સપ્રેસવે સહિત અનેક મલ્ટીલેન હાઈવે બનાવવાનું મોટું વિઝન ઘડ્યું છે. અનેક કરોડોના ખર્ચે તૈયાર થતા આ હાઈવે ભારતીય અર્થતંત્ર માટે રક્તવાહિનીનું કામ કરે તેમ છે. જોકે, આ ભવ્ય યોજનાનો એક ભાગ હાલમાં નકારાત્મક ચર્ચાનો વિષય બન્યો છે. નવસારી જિલ્લામાંથી પસાર થતો દિલ્લી-મુંબઈ એક્સપ્રેસવે હજુ લોકો માટે ખુલ્લો થયો પણ નથી, ત્યાં પહેલાં જ ધોવાણ અને માટી બેસી જવાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઉગત અંબાડા અને સરભણ (સુરત જિલ્લા) નજીકના વિસ્તારોમાં સાઈડ શોલ્ડરિંગ ધોવાઈ જતાં મોટા ગાબડા પડ્યા છે. બંને તરફ લગભગ અડધો કિલોમીટર સાઈડ શોલ્ડર બેસી ગયેલ…
નવસારી જિલ્લામાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર પડેલા ખાડાઓ અને ખરાબ રોડ સ્થિતિને લઈને જનતામાં અસંતોષ વધી રહ્યો છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બોરિયાચ ટોલનાકા ખાતે “રોડ નહિ તો ટેક્ષ નહિ”ના નારાઓ સાથે જન આક્રોશ આંદોલન કરવામાં આવ્યું. આ આંદોલન સતત બીજા દિવસે પણ જોરશોરથી કરવામાં આવ્યું હતું. આંદોલનમાં વાંસદા અને ચીખલીના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ પણ જોડાયા હતા અને સરકારી તંત્રને કડક હથોડીવાળી ટકોર કરી હતી કે, જ્યારે માર્ગોની યોગ્ય મરામત નહીં થાય અને પ્રવાસીઓની સુરક્ષા નક્કી નહીં થાય ત્યાં સુધી ટેક્ષ વસુલવામાં ન આવે. આંદોલનકારીઓએ ટોલ ફી મુકત વ્યવસ્થાની માંગ સાથે તંત્ર સામે ઘોંઘાટ કર્યો…