Author: Atul Rathod

નવસારી જિલ્લા પોલીસે સક્રિયતા દર્શાવી મેડિકલ સ્ટોરોમાં rules મુજબ દવાઓ વેચાય છે કે નહીં, તેની સઘન ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. પોલીસને મળેલી જાણકારી અને ગુપ્ત માહિતીના આધારે વિવિધ તાલુકાઓમાં સ્થાનિક પોલીસ સ્ટેશન અને એસઓજી ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જિલ્લાના છ તાલુકાઓમાં આવેલી કુલ 184 મેડિકલ સ્ટોરોમાં તપાસ હાથ ધરવામાં આવી. ચેકિંગ દરમિયાન ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક H1 કેટેગરીની દવાઓ તથા સીરપનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોરો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી. નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1, બીલીમોરા વિસ્તારમાં 2, વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 નવસારી ટાઉન પોલીસ વિસ્તારમાં 1 મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વગર H1 દવાની વેચાણ કરવામાં…

Read More

આણંદ જિલ્લા અને વડોદરા વચ્ચેના મહત્ત્વના માર્ગ પર આવેલો મહીસાગર નદી પર જૂનો બ્રિજ આજે તૂટી પડતાં મોટી હોનારત સર્જાઈ છે. બ્રિજ તૂટી પડવાના બનાવથી સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. આ બ્રિજ વર્ષો જૂનો હતો અને તેની હાલત ઘણાં સમયથી નાજુક હતી, જેની અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. સ્થાનિક જિલ્લા પંચાયતના સભ્યો અને સામાજિક કાર્યકર્તા લખન દરબાર સહિત અનેક જાગૃત નાગરિકોએ આ જર્જરિત હાલત અંગે તંત્રને વારંવાર ધ્યાન દોરાવ્યું હતું. તેમણે નવો બ્રિજ બનાવવા કે રીપેર કરવાની માંગ સાથે અનેક લેખિત રજૂઆતો પણ કરી હતી. છતાં પણ તંત્ર તરફથી ગંભીરતા દાખવવામાં આવી નહોતી, જેના પરિણામે આજે આ દુર્ઘટના સર્જાઈ…

Read More

નવસારી જિલ્લામાં તાજેતરના ભારે વરસાદને પગલે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આથી નીચાણવાળા અને નદીકાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાને લઈ વહીવટતંત્ર સતત સજાગ રહેતાં જરૂરી પગલાં લઈ રહ્યું છે. જિલ્લા વહીવટતંત્ર દ્વારા જનજાગૃતિ, રાહત અને રેસ્ક્યૂ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા લોકોની સલામતીને પ્રાથમિકતા આપતાં તેમને સમયસર આશ્રયસ્થાનોમાં સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે, આજે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા વિવિધ આશ્રયસ્થાનોની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે સ્થળાંતરિત થયેલા નાગરિકો સાથે વ્યક્તિગત વાતચીત કરી અને રહેઠાણ, ભોજન, દવા, શૌચાલય અને સુરક્ષા જેવી મૂળભૂત સુવિધાઓની ઉપલબ્ધતા અંગે વિસ્તૃત માહિતી મેળવી.…

Read More

નવસારી જિલ્લામાં ચાલુ વરસાદની પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે. બીલીમોરા વિસ્તારમાંથી પસાર થતી અંબિકા નદીમાં બપોરના સમયે ગૌચરમાં ચરવા ગયેલા ઢોર અચાનક વધેલા પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. સ્થાનિકોએ ઘટના જાણતાં તરત બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ તમામ ઢોરને સુરક્ષિત રીતે કિનારે લાવવામાં આવ્યા હતા. જિલ્લામાં રાતના 12 વાગ્યા પછી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. નવસારી શહેરમાં પૂર્ણા નદીના પાણી જાનક હદ સુધી પહોંચી ગયા છે. ભેંહેસત ખાડા વિસ્તારમાં નદીના પાણી ભરાતા 25થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભેંહેસત ખાડા વિસ્તારમાં આવેલ ગોટલી માતા અને…

Read More

ગુજરાતના વિકાસની ગતિ જ્યાં મેટ્રો અને બુલેટ ટ્રેન સુધી પહોંચી છે, ત્યાં બીજી તરફ નવસારીના વાંસદા તાલુકાના ધરમપુરી ગામના લોકો હજુ પણ પાયાની જરૂરિયાત — “પાકો માર્ગ” — માટે તંત્રના દ્રષ્ટિગોચર બનવાની રાહ જોઈ રહ્યા છે. ચોમાસામાં ગામના ચાર ફળિયાઓ — ગામિત 1 ફળિયું, ગામિત 2 ફળિયું, ચિકાર ફળિયું અને પુલ ફળિયું —ના લોકો પગદંડી સમા કાદવ-કીચડભર્યા રસ્તાઓ પરથી જીવના જોખમે પસાર થાય છે. ઘણીવાર મૃતકની અંતિમ યાત્રા પણ ખભે લઇ જવાય છે. બાળકો, મહિલા આરોગ્ય કાર્યકરો અને સગર્ભા મહિલાઓ માટે આ રસ્તાઓ જીવલેણ સાબિત થાય છે. તંત્રને વારંવાર રજૂઆતો છતાં પણ તાજેતરના દિવસો સુધી માત્ર વચનો મળ્યા હતા. પરંતુ…

Read More

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મછાડ ગામના સ્કૂલ ફળિયામાં છેલ્લા કેટલાક દિવસોથી દિપડાની અવરજવર જણાઈ રહી હતી. ઘટનાને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. આ અંગે નવસારી સામાજિક વનીકરણ વિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગ દ્વારા તત્કાલ કાર્યવાહી કરી ચિરાગભાઈના મરધા ફાર્મ નજીક સ્કૂલ ફળિયાના સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે પાંજરામાં અંદાજે ચાર વર્ષનો દિપડો શિકારની શોધમાં ફસાઈ ગયો. દિપડો પાંજરે પુરાતા તરત જ વનવિભાગને જાણ કરવામાં આવી. વનવિભાગે દિપડાનું કબજો લઈને જરૂરી ડોક્ટર તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક આરોગ્ય ચકાસણી પછી દિપડાને સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કરવાનો પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વનવિભાગે લોકો પાસે અપીલ…

Read More

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બીલીમોરા થી નવસારી દિશામાં જતી એક સરકારી બસને અકસ્માત નડ્યો હતો. બસના ડ્રાઈવરે પહેલા એક રિક્ષા સાથે અથડામણ કરી અને ત્યારબાદ બસ સાઈડમાં પાર્ક કરવાનો પ્રયાસ કરતાં સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે બસ ધડાકાભેર એક દિવાલ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં બસમાં સવાર તમામ 40 મુસાફરોનો આબાદ બચાવ થયો છે, જે રાહતના સમાચાર છે. જોકે અકસ્માતના કારણે દિવાલ પાસે પાર્ક કરવામાં આવેલા બે અન્ય વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ બીલીમોરા પોલીસને થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. બસના ડ્રાઇવરને પૂછપરછ…

Read More

નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નિરાલી હોસ્પિટલ, નવસારી અને અપોલો હોસ્પિટલ્સના સહયોગથી ૨૫મી જૂન, ૨૦૨૫ના રોજ “Canwin” કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો. નવસારીની નિરાલી હોસ્પિટલ ખાતે “ચાલો સાથે મળીને લડીયે” એ મંત્ર સાથે “Canwin” કાર્યક્રમનું આયોજન હોસ્પીટલના કોન્ફરન્સ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કેન્સર અંગે જાગૃતિ વધારવો અને દર્દીઓને મજબૂત માનસિક આધાર પ્રદાન કરવો હતો. કેન્સરની સારવારથી સાજા થયેલા દર્દીઓએ પોતાના સંઘર્ષ સમયે શું પરિસ્થિતિ હતી તે અંગે વિસ્તૃત વાતો કરી હતી. તો ડોકટરો દ્વારા દર્દી હોસ્પિટલ આવ્યું ત્યારે શું પરિસ્થિતિ હતી અને નિદાન બાદ હાલમાં જે પરિસ્થિતિ હતી…

Read More

ગુજરાત સરકારના મહેસુલી સુધારાઓ વિકાસની દિશા અને દશા બંને માટે મહત્વના બને છે. તાજેતરમાં રાજ્ય સરકારે નવસારી સહિત નવી બનેલી નવ મહાનગરપાલિકાઓને D2 કેટેગરીમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા G.D.C.R. નિયમ મુજબ, D2 કેટેગરી હેઠળ વિકસિત ન હોતી જમીનોમાંથી 40% જમીન કપાતનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે નવસારી શહેરમાંથી તીવ્ર વિરોધ શરૂ થયો છે. શહેરના બિલ્ડરો, ડેવલોપરો અને ખેડૂતોને આશંકા છે કે, આ નિયમના અમલથી નક્કી થયેલા શહેરી વિકાસમાં મોટું નુકસાન થશે અને જમીન ધારકોને અન્યાય થશે. નવસારી બિલ્ડર એસોસિએશન, ક્રેડાઈ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખેડૂતો સાથે મળીને જિલ્લા કલેકટર અને મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં…

Read More

નવસારી જિલ્લામાં વધતા સાયબર ફ્રોડના કેસોને ધ્યાનમાં રાખી, જિલ્લા પોલીસ દ્વારા “ઓપરેશન સાઇબર સ્ટોર્મ” હાથ ધરવામાં આવ્યું. આ અભિયાનના અંતર્ગત ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના વિવિધ સ્થળોએ તપાસ કરીને ૩૫ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. આ યોજના હેઠળ જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ ૧૦ ફાઇનાન્સિયલ ફ્રોડના કેસોની તપાસ કરવામાં આવી. તપાસ દરમ્યાન પૈસાની ઠગાઈમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ફેસબુક આઈડી ફ્રોડ, શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ઑનલાઇન ટ્રેડિંગ ફ્રોડનો સમાવેશ થયો. આ આરોપીઓએ કુલ રૂ. ૩ કરોડથી વધુની ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે. જિલ્લા પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ ૯ જુદી-જુદી ટીમોની રચના કરવામાં આવી હતી, જેમણે નવસારી, સુરત, જયપુર અને…

Read More